________________
સભા:- એવા પુણ્યથી પાપ બંધાય?
સાહેબજી - હા, પાપ જ બંધાય. સંસારમાં મોટા ભાગના જીવો પુણ્યથી પાપ જ બાંધે છે. પુણ્યનો ભોગવટો કરીને પાપ જ ઊભું કરે છે. તે પાપાનુબંધી પુણ્ય છે. તે પુણ્યમાં પાપની સર્જન શક્તિ છે. પુણ્યાનુબંધી પુણ્ય ઊભું કરવું તે એક મહાન સાધના છે, જે વિવેકવાળો જીવ જ કરી શકે. કષાય કરવાથી સફળતા મળે છે તે માની લેવું એક ભ્રમ છે. ભૌતિક દષ્ટિએ કે ધાર્મિક દૃષ્ટિએ કષાયોની જીવનમાં કોઇ ઉપયોગિતા નથી. ડાહ્યા માણસનું લક્ષ્ય શું? ઉપયોગી પ્રવૃત્તિ આદરે કે નકામી પ્રવૃત્તિ આદરે?
તમારે કોઈ વાત સામાને કબૂલાત કરાવવી છે તો ગુસ્સે થઈને કહો તો માને? કે શાંતિથી કહો તો જલદી માને?
સભા:- સામેના માણસ પર આધારિત છે.
સાહેબજી - બીજી રીતે તમને પૂછું છું કે તમને કોઈ અકળાઈને વાત કરે તો ગમે કે શાંતિથી વાત કરે તો ગમે? ગુનેગારને પણ તમે ધમકાવીને વાત કરો તો ગમે? તમારે એના મનમાં સ્વીકાર કરાવવો છે કે માત્ર એની પાસેથી કામ લેવું છે? પછી ભલે તે મનમાં ગાળો આપે? લોહી પી જાય તેવા છે માટે માન્યા વગર ચાલે તેમ નથી' આમ કહીને માને અને કામ કરે, તે તમને ગમે? કે દિલથી કામ કરે તે ગમે? તમે ક્રોધથી સામાના દિલને જીતી શકો કે શાંતિથી તેના દિલને જીતી શકો?
આવા અનિવાર્ય સંજોગોમાં કષાય કરવાની જરૂર હતી, ન કરો તો ચાલે તેમ ન હતું, એવો એક પણ દાખલો તમે આપી શકશો? વિરોધી હોય કે મિત્ર હોય બધે જ કષાય કરો છો, માટે જ તમે અણગમતા બનો છો. તમે બધા તરફથી પ્રીતિ-આદર-સત્કાર ઇચ્છો છો કે બધા તમને ધુત્કારે તે તમને ગમશે? તમે જીવનમાં કુટુંબ માટે સહુથી વધારે કર્યું છે, જાત ઘસી નાંખી છે, છતાં તેમની પાસેથી પણ તમે લાગણી કેમ નથી મેળવી શકતા? કારણ શું? તમારો સ્વભાવ જ.
સભા - એનાં કર્મ.
સાહેબજી - એનાં નહિ, આપણાં કર્મ. બસ કર્મનું લાકડું હાથમાં આવી ગયું છે, માટે ગમે ત્યાં ભરાવી દો છો. પરંતુ ગમે તેવાં અનિકાચિત કર્મો ઉદયમાં આવે, તો તેમાં પલટો લાવવાની શક્તિ આત્મામાં છે. આપણે ત્યાં પુરુષાર્થવાદ પણ છે. ધર્મ, કર્મને પલટી શકે છે.
રક છે કે જો
કે
કે તે
જ ને કે
જે એક જ
* * * * * * * * * * * * * * * * * *
* *
છ
ક જ છે
૬૦
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org