________________
ત્રાસેલા છો તે છે. શરીરને તમે સ્વસ્થ રાખો છો અને તેના માટે મનના ત્રાસ ઊભા કરો છો. કારણ નાનું શરીરનું દુઃખ તમને દેખાય છે, પણ મનનું મોટું દુઃખ દેખાતું નથી. ચૂંટિયો ખણ્યો ત્યારે દુ:ખ થાય છે, હવે તે વખતે કોઇ જોરથી થપ્પડ મારે તો ચૂંટિયાનું દુઃખ ભૂલાઇ જશે. પણ તમે કોઇને આવું કરવા દેશો ખરા ? પરંતુ તમે જીવનમાં નાનાં દુ:ખને હટાવવા મોટું દુઃખ ઊભું કરો છો. દા.ત. તમે જમવા બેઠા ત્યારે ભાણામાં કારેલાનું શાક આવ્યું, એટલે પિત્તો જાય. કારણ તમને અણભાવતું છે, તેનું દુઃખ છે. હવે આવી પડ્યું છે માટે તે ખાવાથી જે દુઃખ થવાનું છે તેના નિવારણ માટે તમે ન ખાઓ, અથવા બીજી રીતે પણ વિરોધ કરી શકો તેમ છો; છતાં પણ તમે ઉલ્કાપાત કરો છો, જેથી પોતાના અને બીજાના મનમાં અશાંતિ ઊભી થાય. એટલે નાના દુઃખના નિવારણ માટે મોટું દુઃખ ઊભું કર્યું. પરંતુ ડાહ્યો માણસ મોટા દુઃખના નિવારણ માટે નાનું દુઃખ વેઠી લે.
સભા ઃ- પણ સાહેબ ! શાંતિથી ખાઇ લઇએ તો ઘરમાં એમ થાય કે આમને ભાવે છે.
સાહેબજી ઃ- ના ના, તમારું મોં જોઇને કહી આપે કે તમને અણભાવતું છે. અણભાવતું ખાઓ અને સામેનાને તમારા મોંના ભાવ ખબર ન પડે, તેવા તમે સંયમી છો ? વ્યક્ત ન કરવું હોય તો પણ થઇ જાય તેમ છે. જેમ પોલીટીશ્યનોને હસવું હોય ત્યારે હસે, રડવું હોય ત્યારે રડે, ક્રોધ વખતે ક્ષમા રાખવી હોય તો પણ રાખી શકે છે. તેવા તમે કાંઇ ઉસ્તાદ છો ? પરંતુ મોટા ભાગે તો તમે ધમાલ કર્યા વગર રહી શકતા જ નથી.
કારેલાના શાકથી જીભને જે ત્રાસ થાય છે તેને તમે ત્રાસ માનો છો, પણ ક્રોધથી દુ:ખી કરવામાં મનને ત્રાસ થાય છે તે મોટું દુઃખ છે, તે તમને સમજાતું નથી. આયંબિલમાં માનસિક દુઃખોનો ત્યાગ છે અને સાથે તેમાં માનસિક સુખ છે, પણ તે તમને દેખાતું નથી. કારણ કે તમારી પાસે અંતર્દ્રષ્ટિ નથી. પરંતુ આયંબિલમાં મજા કેવી છે ? કેટલી છે ? તેની કબૂલાત મન પાસે કરાવવાની છે, અને તેની સામે જીભની લોલુપતા છે, તૃષ્ણાની પીડામાં કેટલું દુઃખ છે તે તેને સમજાવવાનું છે.
અંદરના દુઃખનો ત્યાગ કરો એ જ ધર્મની આજ્ઞા છે. આંતરિક સુખને જીવનમાં અપનાવશો એટલે ધર્મ જ અપનાવ્યો કહેવાશે. દુઃખને જીવનમાં જેટલું ઊભું કરશો તેટલું પાપ વધારો છો. તમારા આત્માને જેટલું દુઃખ આપશો, ત્રાસ આપશો તેટલું પાપ છે.
આત્માને-મનને શાંતિ આપવા માટે શરીરના થોડા કષ્ટને વેઠવું પડે. પૂ.ઉપાધ્યાયજી મહારાજસાહેબે તપધર્મનું વર્ણન કરતાં કહ્યું કે, તપ ધર્મમાં સુખ ઘણું છે. જે તપમાં માત્ર કાયકષ્ટ માને છે તેની તો બુદ્ધિ બગડી ગઇ છે. તપમાં આત્માની અને મનની શાંતિનું સુખ
મારી ૪૯
બેની તારીખ*****
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org