SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મમાં આડખીલીરૂપ મન-શરીર-ઇન્દ્રિય જવાંધાવચકા પાડે છે. બધે ધર્મના વ્યવહારમાં એનો વિરોધ હોય છે. તેથી જ ધર્મ કરતી વખતે મન સાથે સમજાવટ કરવાની આવે. જેમ કે વિકારોમાં પીડા કેટલી, આસક્તિમાં દુઃખ કેટલું, આનાથી કેટલા હેરાન થઇએ છીએ? પરંતુ જીભના સ્વાદ છે તેમાં તમને જે સુખ દેખાય છે, તેના કરતાં કંઈ ગણી પીડા વિકારો, કષાયોમાં છે; ચોવીસ કલાક જીભમાં સ્વાદની ઝંખના છે, તેનું દુઃખ કેટલું? સારી વાનગીઓ ખાવા માટેની તલપની અંદર પીડા કેટલી? આટલી પીડા વેઠીને સ્વાદ લેવા છે કે પીડાથી મુક્ત થઈને મનને શાંતિ આપવી છે? સમજણ મનને જીતવાનું સાધન છે. તેથી જેટલા અનુભવ, તર્ક, દલીલોથી મનને સમજાવો તેટલું તે માને. ભલે આયંબિલમાં સ્વાદ નથી, પણ જીભને બેસ્વાદપણાનું દુઃખ વધારે કે તૃષ્ણાનું આત્માને દુઃખ વધારે? તમારા મનને કબૂલ કરાવો કે શેમાં દુઃખ વધારે છે? વાસના-તૃષ્ણા પણ એક જાતની પીડા છે, જેનાથી અજંપો થાય છે. રસગુલ્લાં ભાવે છે તેથી તેના માટે મનમાં ચોવીસે કલાક તરસ-તૃષ્ણા છે. જેટલી આઇટમો ભાવે છે તેની આસક્તિ-તૃષ્ણા-તરસ લઈને તમે ફરો છો. આવી હજારો તરસ-તૃષ્ણા છે. તરસ એક જાતની પીડા છે કે સુખ છે? હવે આટલો દુ:ખનો ભાર લઈને ફરવું તેના કરતાં બેસ્વાદવાળું ખાઈ લેવું તે સારું છે. મોટા દુઃખના ત્યાગ માટે નાના દુ:ખને વેઠી લેવું શું ખોટું? તાવ આવે ત્યારે ડોક્ટર ઇંજેક્શન આપે છે, ત્યારે કાંઇ ગલીપચી થાય છે? કે તીણી સોય શરીરમાં વાગે છે? છતાં પણ લો છો ને? પાછા ડોકટરને કહેશો કે જરૂર હોય તો બે આપી દેજો, પણ ઝટ સારા કરો. સભા:- હા, સાથે શીખંડ-પુરી ખવાય ને? સાહેબજી - શખંડ-પુરીમાં મજા ઘણી છે, તે જે માનો છો તેમાં જ તમારો ભ્રમ છે. તાવનું દુઃખ મોટું અને ઇંજેક્શનનું દુઃખ નાનું તેમ તમે માનો છો ને? મોટા દુઃખને કાઢવા નાના દુઃખને સ્વીકારો છો. શીખંડ-પુરીમાં મજા છે, પણ મજા ક્યારે? અંદરમાં તેની તૃષ્ણાતરસ હોય ત્યારે ને? તો પછી તૃષ્ણા-તરસ એ મોટું દુઃખ છે ને? આ માનો છો છતાં તમારા જીવનમાં ઊલટો ક્રમ છે. આ માર્મિક પોઈન્ટ છે, માટે મંથન કરજો. આતો તમે નાના દુઃખના નિવારણ માટે મોટું દુઃખ ઊભું કરો છો. જેમ કે આંગળીએ વાગ્યું છે, તેમાંથી લોહી ઝરી રહ્યું છે, બળતરા થાય છે, મનમાં અજંપો છે; હવે તેને ભૂલવા બીજી આંગળી પર મોટો કાપો મૂકીએ તો મન ત્યાં જશે. એટલે નાના દુઃખને ભૂલવા મોટું દુઃખ ઊભું કર્યું કહેવાશે. અત્યારે તમારા જીવનમાં ક્રમ આ જ રીતે ચાલે છે. શરીરના નાના દુઃખના નિવારણ માટે તમે મોટા માનસિક દુઃખને ઊભું કરો છો. તમારા જીવનમાં મોટી મોંકાણ તો તમે મનથી ૨૪ કલાક * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ४८ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy