________________
સભા:- સાહેબજી ચોટલી કઈ? બતાવો.
સાહેબજી:-બુદ્ધિ કે અનુભવ દ્વારા મનને કન્વીન્સ કરવું. કન્વીસીંગ પાવર તે જ ચોટલી. જેટલું મનને અનુભવ દ્વારા કબૂલ, સ્વીકાર કરાવી શકો, તેટલું જ તે કાબૂમાં આવશે.
સભા:- સાહેબજી ! દાખલો આપો.
સાહેબજી-દાખલા તરીકે આયંબિલ કરવાનું છે. તેમાં રસોઇની સુગંધથી ઘણાને ઊલટી થાય, આયંબિલની રસોઈ મોમાં પણ ન જાય. આ સળવળાટ જીભનો છે કે મનનો છે? મનને સમજાવો કે આયંબિલમાં ખાવા તો મળે છે. માટે તેમાં ભૂખ્યા રહેવાનો સવાલ નથી. તે બધા પદાર્થો શરીરને પૂરતું પોષણ પણ આપે છે. તીર્થંકરનાં શરીર પણ આ આહારથી ટકે છે. તો પછી બીજા સાધકોને દેહ ટકાવવા આહારની જરૂર પડવાની જ. ભગવાને જ આ ધર્મ બતાવ્યો છે. તેમાં ખાવાની ના નથી, પણ તેનાથી જીભને સ્વાદ ન મળે, વિકારો પેદા થાય નહિ, આસક્તિને પોષણ ન મળે; લાંબો સમય કરવા છતાં દેહ-ઇન્દ્રિયની ક્રિયા બરાબર ચાલે, અને તપ પણ કહેવાય. આવો ધર્મ દુનિયામાં ક્યાંય નથી.
સભા - સાહેબજી, હવે તો આયંબિલમાં પણ ઇડલી-ઢોસા હોય છે.
સાહેબજી:-દરરોજ આપીએ છતાં પણ કોઇ કરવા તૈયાર થતું નથી. તમે પહેલાં આયંબિલ તો કરો, આપણે સ્વાદ છોડવા આયંબિલ કરવાનું છે, તેમાં તમે વચ્ચે ઇડલી-ઢોસા ક્યાં લાવ્યા? એકની એક વસ્તુ દરરોજ ખાઓ તો મજા ઘટે છે. સો દિવસ આયંબિલ કરો પછી પારણામાં માલપાણી ખાઓ અને જે સ્વાદ આવશે તે રોજ ખાતાં નહિ આવે. માટે મજા વધારે ક્યારે? જેટલો વધારે લાંબો ત્યાગ કર્યો હોય અને જેટલી વધારે જીભની તૃષ્ણાનું દુઃખ વેડ્યું હોય, તેટલું જ માલપાણી ખાવામાં સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે. માટે કોઈપણ વસ્તુના સ્વાદમાં વાસ્તવિક સુખ નથી, પણ દુઃખોપચાર છે. તે વાત મનને કબૂલ કરાવવી પડે.
સભા:- આયંબિલ કર્યા પછી ચાલુ ખાવાનું ભાવતું નથી.
સાહેબજી -એની તો જીભ બગડી ગઈ છે. મનથી ગમતું નથી કે જીભથી ગમતું નથી? માનસિક રીતે એવો ભાવ હોય કે આયંબિલનું ખાવામાં આત્માને લાભ છે, માટે ચાલુ ખાવાનું ગમતું નથી? કે જીભને બેસ્વાદ લાગે છે? જીભને તો ઊલટો આયંબિલનો ખોરાક નહિ ભાવે, તેને તો તીખા તમતમતા અને મીઠા પદાર્થો ભાવે, તે જ તેની ડીમાન્ડ હોય છે. કોઈ કહે કે મારી જીભને ચાલુ ખોરાક નથી ભાવતો, તો સમજવું કે તેની જીભ બગડી ગઈ છે.
જ ર જ * *
* * * * * * * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * * * *
* * * * * * * * *
મનોવિજય અને આત્મશુદ્ધિ
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org