SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે કામનો ઢગલો રાખો, તેથી ચારે બાજુથી તે લદાયેલું જ રહે. લોકવ્યવહારમાં ભૂતપિશાચનું દષ્ટાંત છે. આમલી-પીપળીના મોટા ઝાડ પર ભૂત બેઠું છે. તેની નીચેથી જે જતું હોય તેને વળગવું, ત્રાસ આપવો તેવી તેની ક્ષુદ્ર વૃત્તિ છે, કારણ કે શાસ્ત્રમાં ભૂતપ્રેતનો ભવશુદ્ર યોનિ કહી છે. સુદ્રા સ્વભાવના કારણે જેમનાના છોકરા બારી નીચેથી કોઇ જતું હોય તો કાંકરી નાંખે, કોઇના માથા પર પડે તો તેને મજા આવે, પાછો તે સંતાઈ જાય; આવા ટીખળી સ્વભાવના નાના છોકરાઓ હોય છે. ભૂત માટે લોકવાયકા એવી છે કે તે જેને વળગે તેને ત્રાસ ત્રાસથઇ જાય, પણ જો તેની ચોટલી હાથમાં આવે તો તે તાબે થઈ જાય. ભૂતમાં શક્તિ ઘણી હોય છે. જે પણ કામ તેને ચીંધો તે તરત જ થઇ જાય. હવે એક વાણિયો આમલીના ઝાડ નીચેથી જતો હતો. તેને વળગવા માટે ભૂત આવ્યું. પણ વાણિયો હોશિયાર હતો. તેણે પાછળથી જઈને તરત ચોટલી પકડી લીધી. ભૂત કહે “હું તારો દાસ છું, કારણ તારા કબજામાં આવી ગયો છું. પરંતુ મને છોડ.” વાણિયો કહે “મારું કામ કરી આપે તો છોડું.” ભૂતે કહ્યું “કામ કરી આપું, પરંતુ મારી એક શરત છે. હું નવરો નહિ બેસું. મને નવરો બેસાડીશ તો હું તને ખાઈ જઈશ.” પરંતુ આ ભૂત તો એક જાતના દેવતા કહેવાય, માટે શક્તિ ઘણી હોય. વાણિયાએ કહ્યું મકાન બનાવી આપ, અનાજ લાવી આપ, દુકાન કરી આપ, આવાં તો પચાસ કામ સોંપ્યાં. પરંતુ પેલો તો પાંચ મિનિટમાં કામ કરી નવરો થઈને પાછો આવે. વાણિયાને લાગ્યું કે આ તો હવે મને ખાઈ જશે. તેથી વાણિયાએ બુદ્ધિ દોડાવીને કામ સોંપ્યું કે હું બીજું કામ ન બતાવું ત્યાં સુધી આ નિસરણી પર ચડ-ઊતર કર્યા કર. હવે અહીંયાં કામ નથી ચીંધ્યું તેમ તો ન જ કહેવાય. આ એક દષ્ટાંત કથા છે, પણ મર્મ શું છે? તે વિચારો. ભૂતની શક્તિનો પાર નથી, તેમ મનની શક્તિનો પાર નથી. મન તાબે થાયતો તમને ન્યાલ કરી દે. પરંતુ તોફાની મનને તાબે કરવા માટે ભૂતની માફક તેની ચોટલી પકડવી પડે. તેમાં ભૂતની જેમ જ શરત શું? તો મનને નવરું બેસવા દેવું નહિ. અનંતા જન્મ-મરણના ખરાબ સંસ્કાર પણ પડેલા છે. માટે તેને સારી પ્રવૃત્તિમાં ગોઠવી રાખવાનું. મનને ઠગવાનો આ ઉપાય છે. પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં લખ્યું છે કે ચંચલ મન પાસે શુભયોગમાં સતત પરિશ્રમ કરાવો કે જેથી બીજે ક્યાંયદોડવા મનને અવકાશ જ ન મળે. તમારા જીવનમાં તો મન નવરું જ હોય ને? તેને કદી સારું કામ સોંપવાનું રાખ્યું છે ખરું? તેમાં પણ ધર્મના ક્ષેત્રમાં તો નવરું જ હોય છે. કદાચ તમે શરીરથી ધર્મ કરવા બેસો, પણ મન તો તમારું ફરતું જ હોય છે. ધર્મમાં પરિશ્રમ તો ખાલી શરીરને જ ને? તેથી મનને નિરાંતે ફરવા દો છો. અનાદિના અશુભ સંસ્કાર ભર્યા છે, માટે એમને એમ મનને કામ સોંપો તો કામ નહીં કરે. એટલે તેની ચોટલી પકડવી પડે. પછી જ તે તાબે થાય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૪૬ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy