SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સભા:- તેને વાનરવેડા કહેવાય? સાહેબજી - એવું જ કહેવાય. સ્વભાવ શું? અવળચંડો, કહીએ તેનાથી ઊંધું જ કરે. કહીએ દોડમદોડા કર, તો શાંતિથી બેસી જાય. માટે જેનું મન અવળચંડું છે તેને ઊંધા જ આદેશ આપવાના આવે. પૂજય ઉપાધ્યાયજી યશોવિજયજીએ અધ્યાત્મસાર ગ્રંથમાં મનના સાધકે, સાધનામાં તેનું મન બહાર જતું હોય કે સાધનામાં વિક્ષેપ કરતું હોય તો શું કરવું, તેની ટેકનીકો બતાવી છે, તેમાં મનને ઠગવાની વાત પણ કરી છે. શાસ્ત્રમાં મન માટે વોલ્યુમોના વોલ્યુમો ભરાય તેટલું સાહિત્ય છે. ઘણાનું મન તોફાની અવળચંડું હોય, તે નવરું બેસે ખરું? જેમ તમે કામ વગર નવરા બેસો ખરા? કદાચ થાકો તો ઊંઘી જાઓ પણ નવરા ન બેસો. તેથી વ્યવહારમાં પણ કહ્યું છે કે “નવરા બેઠા નખ્ખોદ વાળે.” તેમ તમારા મનની શું સ્થિતિ? માટે મનને કાબૂમાં લેવું હોય તો એક મિનિટ પણ તેને નવરું નહિ રાખવું. સભા - વિચારની ચંચળતા એ સ્મૃતિ કે કલ્પનાના આધારે છે? સાહેબજી:-વાસના-કુબુદ્ધિના કારણે વિચારની ચંચળતા છે. સબકોન્સીયસ માઈન્ડમાં અશુદ્ધિ છે, તેના કારણે વિચારની ચંચળતા છે. વિચારની ચંચળતા માત્ર સ્મૃતિ કે કલ્પનાના આધારે ન કહી શકાય. નાના બાળકને કોઇ સ્મૃતિ નથી, છતાં તેનું મન ચંચળ છે. સભા:- ગયા ભવની સ્મૃતિ? સાહેબજી:- એ જાતિસ્મરણ કહેવાય, તેને સંસ્કાર ન કહેવાય; સ્મૃતિ એ જુદી વસ્તુ છે, પ્રોપર વર્ડયોગ્ય શબ્દ વાપરો. ચંચળતાનું કારણ સ્મૃતિ કે કલ્પના નથી, પરંતુ ઊંધી માન્યતા એ ચંચળતાનું કારણ છે. અમુક વસ્તુ સારી માની છે, માટે તેમાં તમારું મન દોડે છે. બીજી બાજુ ઘણાએ ઊંધી વાતો ફેલાવી છે કે, ધ્યાનની સાધના દ્વારા શું કરવાનું છે? તો નિર્વિચારક બનવાનું છે, અને તે પામવા જ પ્રયત્ન કરે છે. ખરેખર સાધના દ્વારા વિચારશૂન્ય થવાની કોઈ જરૂર નથી. વિચાર કરવા એ ખરાબ વસ્તુ નથી, ઉપયોગી તત્ત્વ છે. મનને નિષ્ક્રિય નથી બનાવવાનું પણ મનને વધારે સક્રિય અને સતેજ બનાવવાનું છે, મનની શક્તિ ખીલવવાની છે. અત્યારે જે વિચારો આવે છે તેમાં સારા નક્કર સંકલ્પો, વધારે એકાગ્રતા, સ્થિરતા, ઊંડાણ લાવવા ધ્યાનની સાધના છે, કાંઈ શૂન્ય મન કરવાની ધ્યાનની સાધના નથી. વિચાર સારા હોય તેને સ્થિર કરવા પ્રયત્ન કરો. તેના માટે જ મનોવિજય કરવાની વાત કરતો હતો. જેમાં નાના બાળકને સારી પ્રવૃત્તિમાં રોકી રાખો તો બીજે જાય નહિ; તેમ મન * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy