SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એટલે શેઠે જે છૂટછાટ આપી હોય, તેને પાછી ખેંચી લે તો નોકર આપમેળે તાબામાં આવી જાય. જો દીકરાને પણ મર્યાદામાં લાવવા નિયંત્રણો મૂકવાં પડે છે, તેમ પ્રેક્ટીકલ વાત છે કે મનને પણ નિયંત્રણમાં લાવવા કડક નીતિનિયમો ગોઠવો. તમારે પડકાર સાથે કહેવું જોઇએ કે “હે મન ! તું મારી મરજી વિરુદ્ધ કંઈ જ નહીં કરી શકે, કરીશ તો તને સજા કરીશ, તું લપડાક ખાઇશ.” આવો પાવર છે ખરો? કે માંદલા થઈને ફરો છો? જેમ શેઠમાં સત્તાનો રુઆબ કે પાવર જોઈએ, તેમ અહીંયાં પણ આત્મબળ જોઈએ. હું આત્મા છું, મારામાં અનંતી તાકાત છે. તેની સામે મન શું કરશે ? મનોવિજયની સાધનાનાં પાંચ સ્ટેપ-પગથિયાં છે: ૧. શ્રદ્ધાઃ- પાંગળા મન કરતાં આત્માની અગાધ શક્તિમાં દઢ વિશ્વાસ. ૨. સંવેગ-નિરંકુશમનના તોફાનો-વાસના-વિકારોથી કંટાળો, ઉદ્વેગ; જેનું બીજું નામ વૈરાગ્ય છે. ૩. સંકલ્પબળઃ- “મારે મનને જીતવું જ છે.” તેવો પ્રબળ સંકલ્પ. ૪. સમજણઃ-મનને દબડાવીને કે દબાણથી નહીં પણ સમજાવટ અને કબૂલાતથી કાબૂમાં લેવાની ટેકનીક. પ. સાધના - મનોવિજયનાં આલંબનો કે અનુષ્ઠાનોમાં સતત પ્રયત્ન, મથામણ, પુરુષાર્થ જારી રાખવો તે. સભા:-સમજણને દાવપેચ કહેવાય? સાહેબજી :- સમજણનો દાવપેચ એક વિભાગ થાય છે. સારા માણસે પહેલાં દાવપેચ રમવાના હોય કે પહેલાં સીધી રીતે કળથી કામ કરવાનું હોય? માટે જ પહેલાં સામ-દામ અને પછી દંડ-ભેદ આવે. વગર કારણે ધાંધલ-ધમાલ-ઉગ્રતા કરવાની જરૂર શું? દાવપેચથી તો ક્યારે કાન પકડો કે જો એમ ને એમ ઠેકાણે ન આવે તો. સભા - તેને જબરદસ્તી કહેવાય? સાહેબજી:-ના, આ તો વંચના છે, મનને ઠગવાની વૃત્તિ છે. નાના છોકરાને કહીએ કે શાંતિથી બેસ, તો બેસે ખરો? અર્ધા કલાકમાં તો કૂદાકૂદ કરી મૂકે. આ બારી પરથી બીજી બારી પર ચઢશે. લાગ આવે કૂતરાનું પૂંછડું ખેંચી આવશે. તમે કહો તેનાથી તે ઊંધું જ કરે. મોટા ભાગે નાના છોકરા અવળચંડા જ હોય છે. ४४ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy