________________
ધર્મોમાં પ્રાથમિક કક્ષાના તર્કો તો હોય જ છે. દા.ત. બૌદ્ધ ધર્મમાં ઉપદેશ છે કે તપ એ કાયકષ્ટ છે. આત્માને ત્રાસ આપવાથી કે દુઃખી કરવાથી આત્માનો વિકાસ ન થાય, એટલે કઠોર તપત્યાગ-સંયમ સાધનામાં બિનજરૂરી છે. જો આવો કુતર્ક તમને બેસી જાય તો ભગવાન મહાવીરે બતાવેલા તપધર્મમાં નિરર્થકતાની બુદ્ધિ પેદા થઇ જાય. માટે અપરિપક્વ બુદ્ધિવાળાને ગમે તે ઉપદેશકનું સાંભળવામાં ચિત્તવિક્ષેપ થવાનું મહાજોખમ છે.
આવા કુતર્કો કરવામાં રજનીશ કાંઈ ઓછા હતા? તેઓ કહેતા કે “દુનિયામાં જૈનો જેવા હિંસક કોઈ નથી. કારણ કે માંસાહારી લોકો તો બીજા પશુઓની હિંસા કરે છે, તેઓ બીજાનું માંસ ખાય છે, જ્યારે ઉપવાસ કરનારા જૈનો તો પોતાનું જ માંસ ખાય છે. કારણ ખોરાક ખાવાનું બંધ કરી પોતાના જ માંસ પર જીવે છે અને તેને પચાવી જીવન ટકાવે છે, એટલે પોતાનું જ ભક્ષણ કરે છે, તેઓ સ્વમાંસાહારી છે. આ બધા કુતર્કો છે. ઊંધી બુદ્ધિ લડાવવાનું ભેજું છે. હવે આવું સાંભળનારની હાલત શું થાય? આમાં તો ઘણા ગુમરાહ થઈ ગયા.
હકીકતમાં આ વાતમાં માંસાહાર બેસે તેમ છે? માંસાહાર કોને કહેવાય તેનો વિચાર જ ન કરે. હકીકતમાં આને માંસાહાર કહે તો, પ્રસંગે રોગ થાય છે ત્યારે તાવ આવે તો ભૂખ્યા રહેવું પડે છે. ડોક્ટર બીજી તકલીફથી પણ ભૂખ્યા રાખે છે. માટે શું તે વખતે માંસાહાર થાય છે? માંસ ખરાબ કેમ છે? તેમાં ક્રૂરતા છે અને બીજાને પજવવાનો ભાવ છે, માટે તે ખરાબ છે; જયારે ઉપવાસ કરનારને બીજાને ત્રાસ આપવાનો ભાવ છે? કે બીજાને અભયદાન આપવાનો ભાવ છે? તેથી તમે પરિપક્વ ન બનો ત્યાં સુધી ગમે તેનું સંભળાય નહિ. સમ્યગ્દષ્ટિ ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તો તેનું જ્ઞાન સમ્યજ્ઞાન જ થાય. મિથ્યાષ્ટિ ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તો તેને મિથ્યાજ્ઞાન જ થાય છે.
સભા-સાધના દ્વારા મનને વશ કરીતેનાથી કર્મો બહાર લાવી આત્માની શુદ્ધિ થાય?
સાહેબજી:- હા, ચોક્કસ. પદાર્થવિજ્ઞાનનો નિયમ છે કે જે પ્રક્રિયાથી આત્માની અશુદ્ધિ થઈ છે, તેનાથી ઊંધી પ્રક્રિયા કરો તો આત્માની શુદ્ધિ થાય. આત્માને કોઈ કર્મ લાગે છે, તેમાં મન સાધન બને છે. જેવા મનના ભાવ, તેવા કર્મના બંધ થાય છે. કર્મ જે ભાવથી બંધાયું છે, તેનાથી ઊલટા ભાવ કરો એટલે કર્મ છૂટે છે. મનને વશ કરવા, જે કારણથી મન બેફામ બન્યું છે તે ભાવોથી ઊલટા ભાવો કરો તો મન કાબૂમાં આવશે. જેમ નોકર તમારું કહ્યું કરતો નથી, તો જે કારણથી સ્વચ્છંદી બન્યો છે, તે કારણ પાછું ખેંચી લો તો નોકર સ્વચ્છંદી રહી શકે ખરો ? નોકરીનો અર્થ જ પરાધીનતા છે. કારણ તેના માથે માલિક
- ક ક ક ક ક ક ક ક ક ક ક મ જ કે
જ કર એ
જ
ર ક જે ક ક ક
ક
ક
જ જે * * * * * * * * * * * * * *
૪૩
મનોવિજય અને આત્મશુદ્ધિ M-4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org