________________
કારણે પાયમાલ થઈ ગયો છું, બલા વળગી છે, આ કાંઇ પીવા જેવી નથી; માટે તેને છોડવા પ્રયત્ન પણ કરે છે, આ તેની સમજણની નિશાની છે. છતાં પણ ન છૂટે ક્યારે ? ખોટું આચરણ કરાવનાર કર્મ નો પ્રબળ હોય તો ન છૂટે.
સભા:- અમે તો હજુ સુધી ધર્મનો પાયો જ નથી માંડ્યો.
સાહેબજી - અનંત કાળથી મનમાં ઊંધી માન્યતા લઈને ફરો છો. તપ-ત્યાગ-સંયમ કરો પણ માન્યતા શું? સુખ ભોગમાં જ છે, ત્યાગમાં નથી. આવી માન્યતાવાળા ઉપવાસ કરી લે, પણ આનંદ ક્યાં?
સભા:- પારણામાં.
સાહેબજી:- આ જ બુદ્ધિ બગડી છે. સાચી માન્યતા હોય તો ઊંધા ભ્રમ ના રહે. ઉપવાસ કરો એટલે થોડી વારમાં પેટમાં કુરકુરિયાં બોલે. સવારથી ઉપવાસનું ટેન્શન થાય. જેવી ભૂખ લાગે એટલે દુઃખ ઊભું થયું. તેથી ઉપવાસમાં કષ્ટ લાગે છે, અને પીડા એ દુઃખ છે માટે ઉપવાસમાં મજા નથી આવતી. પરંતુ આ ભૂખનું દુઃખ કાંઇ મોટું દુઃખ નથી. તમે સીઝનમાં વેપાર કરતાં ખાવા-પીવાનું ભૂલી જાઓ છો ને? એક બાજુ ભૂખ્યા રહેવાથી થોડું શારીરિક દુઃખ-કષ્ટ અનુભવાય છે, પણ મનમાં કમાણીનો આનંદ હોય છે.
તમારા શરીરમાં ઉપવાસથી કષ્ટ રહેવાનું, પરંતુ ઉપવાસ એ મનના સુખનો અને આત્માના સુખનો અનુભવ કરાવે તેવી ક્રિયા છે; પરંતુ સાચું સુખ શું દુ:ખ શું તે જ તમે સમજયા નથી.
જીવનમાં પ્રવૃત્તિ પુરુષાર્થ પર નિર્ભર છે. જેવો પુરુષાર્થ હોય તેવી પ્રવૃત્તિ થાય છે. પુરુષાર્થના પ્રેરક બળ તમારા મનના ભાવો છે. તેમાં પણ પ્રબળ પ્રેરક બળ માન્યતા છે. જેને સારું માનો તે કરવા અંદરથી પ્રેરણા મળે, સારું ન માનો તેને કરવાની મને પ્રેરણા આપશે નહિ. હા, માન્યતા જેન્યુઇન હોવી જોઇએ. બોલવા ખાતર બોલો તેનો મિનિંગ નથી. પરંતુ “હું આ હૃદયપૂર્વક માનું છું, આ નથી માનતો” જે સારું માનો છો તે કરવા મન પીંચીંગ કર્યા કરશે. કરવા જેવું આ જ છે. અંદરથી સતત પ્રેરણા આપશે. તમારી રુચિ-અરુચિનો પાયો માન્યતા છે. જે સારું માનશો તેના તરફ મનનું વલણ થશે. મનના વલણને પલટવું માન્યતા પર છે. માન્યતા પલટાય તો વૃત્તિ બદલાય છે. માન્યતા બદલાય એટલે સાચો પુરુષાર્થ કરવાની દિશા ઊઘડે છે. મનના પાયાના સંશોધન તરીકે શુદ્ધ માન્યતા જરૂરી છે, પછી જ મનમાં સત્કાર્યોની સાચી રુચિ જાગશે. અને વગર રુચિએ કરેલો ધર્મ પણ કોઈ વિશેષ ફલ
* * * *
* *
* * * *
* *
* *
* * * *
* *
*
* *
* * * * શું ?
* *
* *
* * *
* *
* * *
* * *
* * *
* *
*
* *
મનોવિજય અને આત્મશુદ્ધિ
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org