________________
બાર ભાવનાથી માન્યતાનું આમૂલ પરિવર્તન
તમે માંદા પડો ત્યારે જો કોઇ ન સાચવે, ચિંતા ન કરે તો બધા સ્વાર્થી-લુચ્ચા છે અને એના બદલે જો બધા ખડે પગે ઊભા રહે, સમાજમાંથી બધા પૂછવા આવે, તો લાગે બધા મારી ચિંતા કરનારા છે, હું એકલોઅટૂલો નથી. એટલે વિચારજો અંદર માન્યતા શું છે? એટલે શ્રેણિકની મિથ્યાત્વ અવસ્થામાં જેવી માન્યતા હતી, તેવી જ તમારી અત્યારે માન્યતા છે ને? લોકો પડ્યો બોલ ઝીલે ત્યારે પણ અનાથતા લાગે ખરી? અશરણ છું તેમ લાગે?
બાર ભાવનાથી માન્યતામાં મૂળ પરિવર્તન કરવાનું છે. દા.ત. એકત્વભાવના છે. “હું એકલો છું. મારું કોઈ નથી. હું કોઈનો નથી. જેમ મને કોઇના પર સાચો રાગ નથી, તેમ મારા પર કોઈને સાચો રાગ નથી, જે રાગ છે તે પણ ખોળિયા પરનો છે.” તમારા નિકટના સંબંધીનો પણ ભવ પૂરો થયો પછી શું? તે કીડી-મંકોડો-ચકલી થાય ત્યારે વહાલ થાય છે? રાગ આવે છે? ઘરમાં પણ રાખો ખરા? માટે આ બધા સંસારના રાગ ખરા રાગ નથી. આ રીતે તમામ સાચી માન્યતાઓનું ઘડતર કરી જગતનું વાસ્તવિક સ્વરૂપ સ્વીકારવું તેનું નામ જ સમકિત છે.
સભા - આ બધું માને પણ વર્તનમાં ન મૂકે તો?
સાહેબજી - વર્તનમાં પહેલે જ દિવસે આવે તેવું નથી. પરંતુ જેની માન્યતા સાચી છે તેને વહેલું મોડું પણ વર્તનમાં આવશે ખરું. જેમ કોઈ વ્યક્તિ કષાયને ખરાબ માને અને તરત જ કષાય તૂટી જાય તો પછી તો તે તરત જ કેવળજ્ઞાન પામી જાય. પરંતુ સમકિત આવ્યા પછી પણ વીતરાગ બનતાં ભવોના ભવ થાય છે, અને આવું તીર્થકરને પણ બને છે. હા, જો તરત જ આચરણમાં આવી જાય તો વધુ સારું છે. તમારી વૃત્તિ-પરિણતિ બંને એકરૂપ બને તો જ તે શક્ય છે. જયાં સુધી તમારા મનની પરિણતિ વૃત્તિથી જુદી છે, ત્યાં સુધી આચરણ અને માન્યતામાં વિસંવાદ રહેશે. પણ મનને જીતવા માટે, તેને શુદ્ધ કરવા માટે શરૂઆત તળિયેથી કરવાની આવે, અંદરમાં પાણી ડહોળાયેલું છે તો સપાટી પર ચોખ્ખું પાણી ક્યાંથી આવે ? અંદરમાં ગંદકી છે તો બહાર આવશે જ. શ્રેણિક મહારાજાએ ધર્મ પામ્યા પછી પણ ખોટા વિચાર, પાપના વિચાર કર્યા છે, પણ માન્યતા તો તેમની શુદ્ધ જ રહી છે.
સભા:- માને છતાં પણ વર્તન ન કરે તે કેવું?
સાહેબજી - હા, બીડી પીવાથી ફેફસાં ખરાબ થાય છે, કેન્સર થાય છે તેવું માને છે; છતાં બીડી પીવે છે તો શું તે મોજથી પીવે છે? કે તેને થતું હોય કે આ ટેવ છૂટે તો સારું? આના
૪)
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org