________________
સભા ઃ- સમકિત એટલે પાપના અનુબંધને તોડવાનું સુદર્શન ચક્ર છે ?
સાહેબજી :- હા, તે પાપના અનુબંધનો નાશ કરે. જીવ પાસે આ ચક્ર ન હોય તો પાપના અનુબંધ ન તોડી શકે અને મોક્ષે જાય નહીં. સમકિતમાં પાપના અનુબંધ તોડવાની જબરદસ્ત તાકાત છે. આ સંસારસાગર પાર કરવા માટે સમકિત જેવું કોઇ આલંબન નથી. આ સમિકત નપામવા માટેનું મૂળ તમારી ઊંધી માન્યતા છે. તે માન્યતાને ગાઢ બનાવવાની પ્રબળ તાકાત મિથ્યાત્વ ધરાવે છે.
સમકિતી છો કે મિથ્યાત્વી છો તે જાણવા માટે તમે શું માનો છો ? તમારી માન્યતા શું છે? તે જોવાનું છે, પણ તમે શું કરો છો તે જોવાનું નથી; તમે માનવામાં જો ૧૫। આની માનતા હો તો પણ મિથ્યાત્વી છો. સમકિત એક એક અશુદ્ધ માન્યતાને શુદ્ધમાં પલટવાની તાકાત ધરાવે છે. તેથી જ પુણ્યાનુબંધી પુણ્યની શક્તિ ધરાવે છે.
તમે ક્રોધને સારો માનો છો ત્યાં સુધી ક્રોધ કરવામાં અંદરથી બળ મળે છે. પરંતુ ક્રોધ ખરાબ છે, પીડા છે એવું માનતા હો અને કદાચ ક્રોધ કરી બેસો, તો તેને અંદરથી બળ નથી મળતું, કરતી વખતે મન વિહ્વળ થાય. જેટલી તમે માન્યતા પલટી એટલું મનનું સંશોધન ચાલુ થયું.
અનાથીમુનિ મળ્યા પહેલાં શ્રેણિકરાજા સમ્રાટ હતા, રાજપાટ ભોગવતા હતા, એમનું જીવન વૈભવ-ભોગપ્રધાન હતું. ભગવાન મહાવીર મળ્યા પછી તેમના પણ પરમ ભક્ત થયા, પણ જીવનના અંત સુધી દીક્ષા લીધી નથી. સંસારમાં રહ્યા છે, છતાં માન્યતા ધરમૂળથી બદલાઇ ગઇ છે. પહેલાં તો તેઓ “હું સત્તાધીશ, રાજવૈભવ ધારણ કરનારો, પ્રજાનું રક્ષણ કરનારો, પ્રજાનો નાથ છું'' તેવું માનતા. પરંતુ અનાથીમુનિએ પ્રતીત કરાવ્યું કે, “તારી જાતને પ્રજાનો નાથ ભલે તું માનતો હોય, પણ તું સ્વયં અનાથ છો;” અને આની પ્રતીતિ થવાથી તેમણે પોતાની જાતને અશ૨ણ માની છે. જડ પુદ્ગલો આપત્તિમાં રક્ષણ કરવાની તાકાત ધરાવતાં નથી, માટે તેમને ભૌતિક રિદ્ધિસિદ્ધિમાં અસલામતીનું ભાન થયું. તમને આવું ભાન થાય છે ખરું ?
તમારે બંગલામાં ચાર સીક્યોરીટી હોય, તિજોરીમાં કે બેન્કમાં મોટું બેલેન્સ ગોઠવેલું હોય, ત્યારે તમે તમારી બધી સલામતી છે તેમ માનો ને ? પરંતુ ત્યારે પણ તમે અસલામત છો તેવું ભાન થાય છે ખરું ? તમે રિદ્ધિસિદ્ધિ-વૈભવમાં તમારી સલામતી માનો છો અને તે ન મળે તો તમારી જાતને અનાથ માનો છો. તમારી માન્યતા શું ?
***
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
૩૯
www.jainelibrary.org