________________
સમકિતમાં સંપૂર્ણ માન્યતાશુદ્ધિઃ સભા - વાઘ-સિંહના ભવમાં જાય તો રહે?
સાહેબજી - શુદ્ધ માન્યતા સમકિતીને જ હોય. સમકિતી દુર્ગતિમાં જાય નહિ. ભૂતકાળના નિકાચિત કર્મથી જાય. ભૂતકાળના કર્મનો પલટો ન ખાય ત્યાં સુધી તેમાં રહે, પછી પાછો પલટો આવે. સમકિત એક વખત પામ્યા પછી આત્માને આગળ વધારવાની જવાબદારી તેની છે. સાચો ધર્મ તેનું નામ જે ઉત્તરોત્તર વિકાસમાં ચઢાવે. જેમ ઢાળિયા રસ્તામાં તમે ચાલો એટલે તે ઢાળ તમને આગળ ચાલવામાં ધક્કો આપે, તેમ ધર્મની પ્રગતિ ઢાળની માફક છે.
સભા - લપસી ન પડાય?
સાહેબજી:- કદાચ લપસી પડશો તો પહોંચશો ક્યાં? ચિંતા થાય છે પણ નીચે ગાદલા પાથરેલા હોય તો ગબડશો તો પણ હાડકાં ભાંગવાનાં નથી. ડનલોપપીલો(ડનલોપનું ઓશિકું) છે, માટે ખુશીથી પડો, કાંઈ નીચે પથરા નથી. મૂળ તાત્પર્ય શું? આગળ ગતિમાં વાંધો નથી.
સભા:- મિથ્યાત્વ નવું મિથ્યાત્વ નિકાચિત કરી શકે ખરું?
સાહેબજી:-નિકાચિત થયેલું મિથ્યાત્વ જેટલું પ્રબળ હોય તે પ્રમાણે નવું બંધાય. પ્રબળ ન હોય તો તેને જીવ કાપી શકે, તો નવું મિથ્યાત્વ ન બંધાય. જેમ ભગવાન મહાવીરનો આત્મા નયસારના ભવમાં સમકિત પામ્યો. પછી મરીચિના ભવમાં અમુક ટાઇમ સુધી સમકિત છે. દીક્ષા લીધી ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકે છે. પણ શરીરની સુકોમળતાના કારણે ચારિત્ર ન પાળી શક્યા અને તેમણે ચારિત્ર સ્વેચ્છાએ ત્યાગ કર્યું. તે વખતે પણ ભાવશ્રાવકના ગુણો પાળે છે ત્યારે તેમનામાં લાયકાત ઘણી છે. પણ જયારે કપિલે પૂછ્યું કે તમારી પાસે ધર્મ નથી? ત્યારે કહ્યું “ધર્મ અહીંયાં છે અને ત્યાં પણ છે.” આ વાક્યથી ઋષભદેવ ભગવાને કહેલા તત્ત્વથી ઊંધી માન્યતા તેમણે કેળવી. તેના કારણે તેમને મિથ્યાત્વ આવ્યું. ઉત્સુત્ર ભાષણથી નવું મિથ્યાત્વ બાંધ્યું. સમકિતની ભૂમિકાથી નીચે પડ્યા. ઉસૂત્ર ભાષણનું મમત્વ અને આગ્રહ પણ છે, તેથી નવું ગાઢ મિથ્યાત્વ બાંધ્યું. એક, બે, ત્રણ નહિ પણ અસંખ્ય ભવ સુધી મિથ્યાત્વ ચાલ્યું. જીવ પડે ત્યારે, મિથ્યાત્વ ભોગવે ત્યારે, નવું મિથ્યાત્વ ન બાંધે તેવું નથી. ઝેર નવા ઝેરને પેદા કરે, તેમ મિથ્યાત્વ મિથ્યાત્વને પેદા કરે. તે વિષચક્ર છે. માટે જ જીવ મિથ્યાત્વના ચક્રમાંથી જલદી બહાર ન નીકળી શકે.
૩૮
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org