________________
છે. માટે ચોવીસે કલાક દારૂ પીવાની અનુમોદના અંદર પડી છે. તેથી સતત પાપ લાગી રહ્યું છે. માન્યતા પ્રમાણે સતત પાપબંધ ચાલુ છે.
સભા :- આ કર્મબંધને કાઢવો કઈ રીતે?
સાહેબજી:-ખરાબ માન્યતાને દેશવટો આપો અને સારી માન્યતાનો સંગ્રહ કરો. ૧૦૦% શુદ્ધ માન્યતા સમકિતમાં છે. તેમાં ૧% પણ ખરાબ માન્યતા ન હોવી જોઇએ. આપણે ગાંધીજીનું દષ્ટાંત જોયેલું. તે મહાત્મા કહેવાય, પણ તેમની વિચારસરણી કેવી છે? તેમ વિવેકાનંદને પણ મહાન સંત મનાયા છે, પણ તેમની વિચારસરણી હિંદુ ધર્મના શાસ્ત્ર સાથે પણ મેળ ખાય નહિ. તે હિંદુ સંત હતા. વૈદિક ધર્મ પ્રમાણે જેવી માન્યતા જોઇએ તેવી પણ તેમની નહોતી. જેમ દા.ત. તેઓ કહેતા કે “માંસ ગમતું હોય તો તે આનંદથી ખાય', એટલે તેમને પ્રાણી હિંસા સાથે વિરોધ નથી. આવી અનેક ઊંધી માન્યતાઓ હતી. આ ભારેખમ પાપની માન્યતા છે. આવી માન્યતા તમારા મનમાં નહિ હોય. કારણ માંસ ખાવું સારું, સિગારેટ પીવી સારી, દારૂ પીવો સારો આવી માન્યતાવાળા તો અમારું મોં જુએ નહિ. છતાં પણ તમારા મનમાં બીજી કેટલી ઊંધી માન્યતાઓ પડી છે? જેમ જીવનમાં ધન કીમતી વસ્તુ છે કે ધર્મ કીમતી છે? બેમાં કોને તમે કીમતી માનો?
જે ધનને વધારે કીમતી માનતો હોય અને ધર્મને ઓછો કીમતી માનતો હોય તો તેની માન્યતા ઊંધી છે. તેના કારણે તે આત્માને મિથ્યાત્વનું સતત પાપ લાગતું હોય. મિથ્યાત્વ કઈ રીતે અસર કરે છે તે સમજો.
સભા:- તેને દૂર કરવાનાં પરિબળ શું?
સાહેબજી:- મિથ્યાત્વ કોને કહેવાય? તે નક્કી કરો. ધન કીમતી નહિ પણ ધર્મ કીમતી કેમ? વિચાર-સમજણ-પુરુષાર્થ દ્વારા માન્યતા બદલી શકાય છે. તેને તમે કામે લગાડો તો હજારો વર્ષની ઘર કરી ગયેલી ઊંધી માન્યતાઓ પલટાયા વગર રહેશે નહિ, ધર્મના ક્ષેત્રમાં આગળ આવવા માટે માન્યતાનું પરિવર્તન અનિવાર્ય છે.
સભા:- બીજા ભવમાં પછી એ જ માન્યતા રહે? સાહેબજી:- અનુભવના સ્તર ઉપર જો પલટી નાંખી હોય તો આગલા ભવમાં રહે.
મનોવિજય અને આત્મશુદ્ધિ
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org