________________
પ્રતિભાવ મનમાં સુષુપ્ત પડ્યો છે. દુનિયામાં જેટલાં કપડાં છે તેના ડીઝાઇન, કલર, ક્વોલીટી સંબંધી રાગ-દ્વેષ, રુચિ-અરુચિ મનમાં પડ્યા છે, સંગ્રહિત છે; અંદરમાં અગાધ પડ્યું છે. અત્યારે તમારું મન આ કોઇની સાથે સંપર્કમાં નથી, છતાં જે પડ્યું છે તેનાથી કર્મબંધ ચાલુ છે. તમે જે કપડું જોયું નથી, જાણ્યું નથી, પણ અંદરમાં તેના માટે રાગ-દ્વેષ પડ્યા છે, માટે તે સંબંધી કર્મબંધ ચાલુ છે. કર્મબંધ મન સાથે સંકળાયેલો છે. દેવલોક છે, એક વખત જોયો નથી, પણ જોવા મળે તો ?
સભા :- આગળ જોઇ આવેલા.
સાહેબજી:-ભૂતકાળમાં જોઇ આવેલા, ભોગવી પણ આવેલા, પરંતુ અત્યારે તો ભૂલી ગયા છે. અત્યારે તમે જે દુનિયામાં છો તેને છોડીને બીજી દુનિયામાં દેવલોક છે.
હવે ત્યાંના વૈભવનું સીધું જ્ઞાન નથી; છતાં ત્યાંનો વૈભવ, નીલમ-મણિ જેવાં રત્નો, મોજમઝા જોવા મળે તો આસક્ત થઈ જાઓ. અંદરમાં એની આસક્તિ ઘણી જ પડી છે, માટે ન જોવા છતાં કર્મબંધ ચાલુ છે.
સભા:- તે અવિરતિનું કારણ છે?
સાહેબજી - હા, દુનિયાભરના ભાવો મનમાં પડ્યા છે. આ મનનું અગાધ ઊંડાણ છે. તેનું તળિયું તમે માપી શકો તો થાપનખાઓ. અંદરમાં ભવોભવના સંગ્રહ પડ્યા છે. ભાવમન એ ખાલી આ ભવની મૂડી નથી, અનંતભવની મૂડી છે. અનેક ભવોના ભાવો સંસ્કારરૂપે અંદરમાં ગોઠવાઈને પડ્યા છે. તેને તમે હલાવો નહિ, ઊથલાવો નહિ ત્યાં સુધી તે હવે તેમ નથી. પરંતુ તેને તો બુજાવવા પડે તેમ છે. આપણે પહેલાં લબ્ધિમનનો માન્યતા વિભાગ વિચારેલો.
લબ્ધિમનનો વિભાગ - (૧) માન્યતા:
(૧) માન્યતા - એટલે મન શું માને છે, શું નથી માનતું તે. હરેક વસ્તુની, પ્રવૃત્તિની, ક્રિયાની માન્યતા મનમાં પડી છે. જેમ કોઈને બીડી પીવી ખરાબ છે' આ વાત ચોવીસે કલાક અનકોન્સીયસ માઈન્ડમાં માન્યતારૂપે પડી છે. જયારે બીજાને “સિગારેટ પીવી તે કાંઈ ખરાબ વાત નથી. ગમે તો મોજ શું કામ ન કરીએ?' એટલે તેને બીડી પીવી સારી છે, એવી માન્યતા પડી છે. “દારૂ પણ લિમિટમાં પીવામાં વાંધો નથી, પોષણ આપે છે,જોમ આપે છે, તેમાં હિંસા ગણવાની હોય નહિ.' આવું બોલનારને દારૂ પીવો સારો છે, વાજબી છે એવી માન્યતા પડી
૩૬
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org