________________
ક્વોલીટી કેવી? સારું છે? નકામું છે? દા.ત. એક વાનગી મૂકી, તેને ચાખી, સારી છે, ખરાબ છે, બસ, વિશ્લેષણ કર્યા કરવું. જરા પણ રાહ જોવી નહિ. સારું લાગે તેમાં રાગ થાય. પાછું તમારું મન સારું માનીને શાંત બેસી રહે તેવું નથી, તેમાં તરત આવેગો પેદા થાય છે; જેનાથી અંદરમાં અજંપો ઊભરાય. ખરાબ વસ્તુથી પણ જીવને દ્વેષ થાય. કદાચ દ્વેષ લાંબો સમય ન ટકે પણ મનની સપાટી પર કંપન તો જગાવી જાય. તમારા મનને તે સ્વસ્થ ન રહેવા દે. પાણીમાં એક કાંકરો નાંખો તો પાણીને ડહોળાવે ને?
પાંચ ઇન્દ્રિય અને છઠું મન એના દ્વારા સુખની કામનાથી જીવ બહાર જ ભટક્યા કરે છે, બહાર જ સંપર્ક રાખ્યા કરે છે; એક પણ વખત અંદર સાથે વાતચીત કરવા તૈયાર નથી. જેમ બારીમાંથી બહારનું દેખાય, તેમ તમારી ઇન્દ્રિયોનો સ્વભાવ બહાર જ જોવાનો. સારું હોય તેમાં રાગ અને ખરાબ હોય તેમાં ષ. સારું મેળવવા જેવું લાગે તો રુચિ, નહીંતર અરુચિ. સારું મળી જાય તો રતિ નહીંતર અરતિ. રાગ-દ્વેષ, રુચિ-અરુચિ, રતિ-અરતિની અવિરત સરગમ ઘડિયાળના કાંટાની જેમ ચાલ્યા કરે છે.
જેમ ગમે તેટલો શાંત દરિયો હોય પણ પાણી હાલ્યા કરે ને? જોરદાર પવન આવે તો મોટાં મોજાં ઉછાળે, ઘુઘવાટ મચાવી દે. પરંતુ દરિયાનું પાણી કદી સંપૂર્ણ શાંત-સ્થિર જોયું છે ? તેની જેમ તમારા મનની સપાટી થોડી ઊંચી-નીચી થતી હોય. હવે તેમાં જો નિમિત્ત મળે તો આવેગોનો પાર નહિ. તેમાં પણ પ્રબળ નિમિત્ત મળે ત્યારે આવેગોનો કેવો ઘુઘવાટ થાય? આ મનની સપાટી પરના નાના-મોટા આવેગો જે વ્યક્ત રીતે-વિચારરૂપે સ્પષ્ટ અનુભવાય છે, તે ઉપયોગમન છે.
(૨) લબ્ધિમનઃ
તમારી બાજુમાં અત્યારે કોઈ બે કલાક એમ ને એમ બેસે તો તમારો પરિચય થાય, પણ તમારા મનનો પરિચય ક્યારે મળે? લાંબો ટાઇમ સાથે રહે અને નિમિત્ત મળે ત્યારે ને? ધરબાયેલા આવેગો ત્યારે જ ઊછળશે. આ અંદરમાં ધરબાયેલા જે ભાવો છે જે નિમિત્ત વિના વ્યક્ત થતા નથી, તેને અમે લબ્ધિમન કહીએ છીએ, જે વિશાળ છે.
આમ તમારા મનની સાઇઝ કેટલી? પણ તમામ દુન્યવી ભાવોનું તે સંગ્રહસ્થાન છે, મોટું સ્ટોરહાઉસ છે. તેમાં જુદાં જુદાં ડીવીઝનો છે અને અંદર વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેના પ્રતિભાવો સંગ્રહિત થઈને પડ્યા છે. એક તણખલાની બાબતમાં પણ રાગ-દ્વેષ, રતિ-અરતિ, રુચિઅરુચિના ભાવો તેમાં પડ્યા છે. પથરો વાગે તો પથ્થર પર ગુસ્સો આવે ને? તો તે બાબતનો
મનોવિજય અને આત્મશુદ્ધિ
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org