SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કે આંખમાં મુકાઈ જાય. માટે પાછો ઉપયોગ લાવવો પડે. એકધારી ક્રિયા મનના ઉપયોગ વગર લાંબો સમય કરી શકાતી નથી. માટે તેમાં તો મિનિટો જ જોઇએ, વધારે આવશ્યકતા નથી. હા, તે મિનિટો લાવવા માટે, તેનું બેકગ્રાઉન્ડ કરવા માટે, અને આપણે પાછા ધર્મ ધીમો કરનારા છીએ માટે, તેમાં વર્ષો નીકળી જાય. આમ, નાટક ત્રણ કલાકનું હોય પણ તેના રીહર્સલમાં વર્ષો જાય છે? કારણ એને યોગ્ય રીતે કરવા માટે, અભ્યાસરૂપે ક્રિયામાં મહિનાઓ જાય છે. ક્ષપકશ્રેણીના ભાવો કરવાના છે, પણ તેમાં પહોંચવા માટે અભ્યાસરૂપે કદાચ ભવોના ભવો જાય. માટે લાંબો ટાઇમ પૂર્વભૂમિકાનો છે, પૂર્વભૂમિકાઓ પ્રાપ્ત થયા પછી તો જીવ સડસડાટ ચઢી જાય છે. હવે પાછળનું જરા વિચારી લઈએ. ભાવમન પર આપણે બે રવિવારથી વિચારીએ છીએ. મન આત્માથી જુદું છે. મન એ સાધન છે. આત્મા સંચાલક કર્તાહર્તા છે. મનના બે પ્રકાર છે. (૧) દ્રવ્યમન અને (૨) ભાવમન. દ્રવ્યમન જડઅણુ-પરમાણુની રચના દ્વારા બન્યું છે. તે જડ પુદ્ગલના ચોક્કસ આકારોરૂપ છે. જેવા વિચારો-ભાવો કરો એવા મનના આકારો થાય. મન:પર્યવજ્ઞાનવાળા અને વિશિષ્ટ અવધિજ્ઞાની આ રૂપી મનને જોઈ શકે છે. આ સાકાર દ્રવ્યમન છે, જે હકીકતમાં ઉપકરણ છે. તેના દ્વારા વિચારો થાય છે. તેમજ તેદ્રવ્યમનની સહાયથી અનંત કાળમાં આત્મામાં જે આંતરિક ભાવોનો સમૂહ સંચિત થયો છે, તે ભાવમન છે. ભાવમનના બે ભેદ છે. (૧) ઉપયોગમન અને (૨) લબ્ધિમન. (૧) ઉપયોગમન: આગળનું જરા તાજું થાય માટે વિચારી લઈએ. ઉપયોગમન=કોન્સયસ માઈન્ડ. વિજ્ઞાન પણ તેને માને છે. જે સજીવ છે તેમાં કોન્સીયસનેસ છે. જડમાં ક્યાંય તે મળે તેમ નથી. દેહ અને આત્માને જુદા નિશ્ચિત કરવામાં આ એક જબરદસ્ત પુરાવો છે. ઉપયોગ વગરનો જીવ હોતો નથી, જ્યારે જડને ઉપયોગ હોતો નથી. જે ક્ષણે જે વસ્તુમાં તમારું મન પરોવાય, તે ક્ષણે તે વસ્તુવિષયક ઉપયોગમન કહેવાય. તે ઉપયોગમન શાંત, સ્થિર, ધીર, પ્રશાંત, પ્રસન્ન નથી પણ આવેગોથી ઘેરાયેલું છે. તેમાં આંદોલનો ચાલુ છે. તેનો સ્વભાવ શું છે? કંઈ પણ વસ્તુ જુએ તેમાં સારા-નરસાનું મૂલ્યાંકન કરવું એવી તેને ટેવ પડી ગઈ છે. જેમ, એક કપડું જોયું. ડીઝાઇન કેવી ? કલર કેવો? * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૩૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy