SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અહીંયાં અતિ રાગ-મોહ ભર્યો છે, માટે કરવા તૈયાર છો; કરવામાં પાછો આનંદ છે. માટે જ મા સવારથી સાંજ સુધી હોંશે હોંશે દીકરાનું કામ કરે છે. દીકરો રુઆબ મારે તો પણ ગમે. જો કે આ બધું તમારા માટે નવું વર્ણન નથી. તેવી જ રીતે જેને શરીર પર મમતા છે, ઇન્દ્રિયોમાં મોહ છે, મન પર આસક્તિ છે તેવી વ્યક્તિ પર મને ગમે તેટલો રોફ મારે તો પણ તેની સેવાચાકરી કરવાની તેને ગમે છે, કંટાળો તેને આવતો નથી. અત્યારે આ દશા તમારી છે. તેનો અર્થ તમને પરાધીનતા-ગુલામી ખાલી કોઠે પડી ગઈ છે તેમ નહિ, પણ તેમાં તમને ખૂબ મજા આવે છે. આવી પરાધીનતામાં જ જીવને અત્યારે રસ છે, પછી ભલે મનતોફાન કર્યા કરે. જેમ નાનો છોકરો તોફાન કરે તો ગમે ને? કહેશો છોકરો છે તો તોફાન કરે ને? તોફાન ન કરે તો ઘર સૂનું સૂનું લાગે. આવા પ્રકારનો રસ છે, જે મોહજન્ય કુવિકલ્પો સૂચવે છે. ઘણાને ઇન્દ્રિયોના આવેગો-ઉશ્કેરાટ ગમે છે. માટે જ ચોવીસે કલાક મનને લીબર્ટી-છૂટ આપી છે કે, “જા તારે કોઈ જાતની પરવા કરવી નહિ.' જેમ ભૂખ્યા ઢોરને લીલું ખેતર મળે તો શું કરે? આખા ખેતરને ખેદાન-મેદાન જ ને? તેમ તમારું મન પણ માતેલા સાંઢની જેમ તમારા જીવનરૂપી ખેતરને ખેદાનમેદાન કરે, તો પણ તમને કોઈ વાંધો નથી ને? તમે તમારા મન-ઇન્દ્રિયને પૂરી છૂટ આપી છે. તમે આ જ રીતે જીવો છો, કારણ તમને હજી દેહ-ઇન્દ્રિય-મન પરાયાં લાગ્યાં નથી. પણ દેહ-ઇન્દ્રિયમનની આ બધી ડીમાન્ડ(માગણી) મોહકારક છે તેમ લાગે છે? દેહ-ઇન્દ્રિય-મનને આત્માથી જુદાં નહિ વિચારો તો તેમને ઓળખવાની વૃત્તિ જ નહિ જાગે. તેમને ઓળખવાં જેટલાં અઘરાં છે તેના કરતાં તેમના પર આધિપત્ય જમાવવું હજી વધારે અઘરું છે. માટે મનને જાણો, ઓળખો અને સમજો. આ માનવભવ એવો છે કે તમે ધારો તો તેનાથી મોક્ષ સુધી પહોંચી શકો, નહીંતર તેનાથી ઘોર અધ:પતન પણ થાય. પ્રસન્નચંદ્રરાજર્ષિનું દષ્ટાંત જોયું ને? તે સાતમી નરકે જાત પણ મોક્ષ સુધી પહોંચી ગયા. ફૂલ સ્પીડમાં જાય તેને તો સાધનાનો સમય લાંબો નથી. ક્ષપકશ્રેણીમાં આવ્યા પછી મિનિટોમાં કેવલજ્ઞાન છે, કાંઇ કલાકો-દિવસનો સમય જરૂરી નથી. જેમ કે નાચતાં-નાચતાં કેવળજ્ઞાન પામ્યા, ખાતાંખાતાં કેવળજ્ઞાન પામ્યા, તેમાં જો કલાકો સુધી નાચે તો ગબડી જાય. સભા:- વધારેમાં વધારે સમય કેટલો? સાહેબજી:- એક બે મિનિટ પણ લાગે નહિ. દોરડા પર ઉપયોગશૂન્યતાથી વધારે નાચે તો વ્યક્તિ ગબડી જાય. વગર ઉપયોગે નાચવાની ક્રિયા કેટલી વાર ચાલે? તમારે ખાતાં ખાતાં બીજે મન ચાલ્યું જાય તો ખાવાની ક્રિયા ચાલે, પણ કેટલી વાર? નહીંતર કોળિયો નાક મનોવિજય અને આત્મશુદ્ધિ ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy