________________
મૂલ્ય રાખ્યું નથી. માટે જ ગમે તેમ શક્તિ વેડફતા જાઓ છો. આંખનો ઉપયોગ ગમે ત્યાં થાય ને? તમારા કાન પણ ગમે તે સાંભળવા તૈયાર ને? ઇન્દ્રિયોનો કોઈ કંટ્રોલ ખરો? બીજો આ રીતે વેડફે તો મૂઓં લાગે ને? પણ તમે શું કરો છો? તમને ગાંડા કહી શકાય ખરા? તેથી ધર્મ કહે છે કે સાધનોનો બિનજરૂરી ઉપયોગ કરવો નહિ અને સાધનોનો જરૂરી ઉપયોગ કરો તો પણ કંટ્રોલ સાથે કરો.
આજે ઘણા શ્રીમંતો એવા છે કે જેમને ઘરમાં ખાવા, પીવા, હરવા, ફરવા, મોજમજામાં કાંઈ કમી નથી. રોજ મેવા-મીઠાઇ ખાય તો પણ ખૂટે તેમ નથી. છતાં ઘરમાં એક મિનિટ શાંતિ નથી. આ બધાં તોફાન કોનો? ઇન્દ્રિય અને મનનાં જ ને? આવા શ્રીમંતોના ઘરના જુવાનજોધ છોકરાઓ ઘણી વખત આપઘાત કરીને મરી જતા હોય છે. દુનિયાની દષ્ટિએ જીવનમાં શું ઓછું હોય છે? પણ મન-ઇન્દ્રિય પર બ્રેક નથી, માટે જ ક્યાં ના ક્યાં અથડાતા કુટાતા હોય છે. અજંપા સિવાય તેમના જીવનમાં કાંઈ હોતું નથી. આવા હજારો, લાખો, કરોડો લોકો છે. જેટલું વધારે શક્તિશાળી સાધન, તેટલો તેનો કંટ્રોલ મજબૂત જોઇએ. જેમ સાયકલ બ્રેક વગરની હોય તો હજી ચાલે, પણ સ્કુટર બ્રેક વગરનું હોય તો ચાલે ખરું? સ્કુટર કદાચ બ્રેક વગર હોય તો હજી જરા ચાલી જાય, પણ ફૂલ સ્પીડમાં જતી ગાડી જો બ્રેક વગરની હોય તો?
તેમ જીવનમાં આ બધાં આંતરિક સાધનો પર પણ કાબૂ જોઇએ. અત્યારે તમને માલિકીની ઇચ્છા જ નથી. તમે વર્ષોથી ગુલામીમાં રહ્યા છો માટે જ ગુલામી કોઠે પડી ગઈ છે અને તેથી જ અંદરમાં તમને દુઃખ નથી. આમ તમને કોઈ જરા ઓર્ડર કરે તો અકળામણનો પાર નહિ અને અહીંયાં તમે બે હાથ જોડી ઇન્દ્રિયો અને મનની સેવા કરવા ઊભા રહો છો.
અત્યારે તમારે ત્યાં સંતાનની બાબતમાં બે બસની વાત છે. સરકારે તમને ગમે તેવી નીતિ ઘુસાડી છે. ઓછાં સંતાનના કારણે તમને છોકરા પ્રત્યે વધારે મોહ હોય. હવે આ છોકરો મા-બાપ ઉપર રોફ મારતો હોય, કામ ચીંધ્યા કરતો હોય, સ્કૂલથી આવે ત્યારે માને ઓર્ડર કરે બૂટ કાઢી આપ, તેમ બધે ઓર્ડરો કરતો હોય, છતાં તેમાં તમને કાંઇ ખોટું લાગે નહિ ને? આવાં પણ મોહધેલાં મા-બાપ હોય છે, સંતાનને કાંઈ કહે નહિ; કારણ આ જ રીતનું ઘડતર હોય છે. પાછું સામે જો મમ્મી કામ ચીંધે તો ના પાડી દે. તડફડ પણ કરી દેનારા હોય છે. છતાં મોહઘેલાં મા-બાપને તેમની સેવા કરવામાં મજા આવે છે અને એ છોકરાઓની ભૂલોને પંપાળે, બચાવ કરે, નાનો છે, છોકરું છે, કહીને ઊભા રહે. આ બધું અતિ મોહના કારણે છે, તેમને સંતાનોની ગુલામી-સેવા-ચાકરી ગમે છે. આમાં નિયમ શું? તમે કાંઈ મૂળથી પરગજુ, પરોપકારી, સહિષ્ણુ, ઉદાર છો? કોઇ કામ ચીંધે તો કરો ખરા? પરંતુ
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
૩૨
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org