________________
મન-વચન-કાયાની બિનજરૂરી પ્રવૃત્તિ કરવી તે અધર્મ છે. મન-વચન-કાયાની જરૂરી પ્રવૃત્તિ કરવી તે ધર્મ છે. જેમાં તમારા સામાયિકમાં શું વિધિ છે? શ્રાવક માટે ઊંચો ધર્મ સામાયિકમાં આવે છે, બાકી તો તમે સંસારના પાપ વ્યવહારથી ખરડાયેલા હો છો. તમે સામાયિકમાં બેસો પછી તમારાથી વગર કારણે ઉઠાય નહિ, વગર કારણે ઊઠો તો પાપ લાગે. કોણ ગયું, કોણ આવ્યું તેની નોંધમાં મન પરોવો તો પણ પાપ લાગે. બેઠા બેઠા આમતેમ હાથ હલાવો તો પણ દોષ લાગે. સામાયિકમાં મન-વચન-કાયાની નિરર્થક પ્રવૃત્તિ થાય નહિ.
સભા:- તો કયા કારણે સામાયિકમાં ઉઠાય?
સાહેબજી:-જ્ઞાન-દર્શન-ચારિત્ર કે જેના ઘણા પેટા યોગો છે; જેમ વિનય, ભક્તિ, સ્વઅને પરની આરાધનાના કારણે ઊભા થવાય, પણ તે પણ જયણાથી જ ઊભા થવાય. તમને મળેલ શક્તિનો ગમે તેમ ઉપયોગ થાય નહિ. બિનજરૂરી બોલો-વિચારો તો પણ દોષ લાગે. તમને તો કુદરતે આપેલ શક્તિનું મૂલ્ય નથી. કચરાની જેમ વેડફી નાંખો છો. આવી શક્તિ કાંઈ બધાને મળી નથી. પણ મળેલ સાધનોનો આવશ્યક સદુપયોગ કરવો જોઇએ.
સભા :- આપે કહ્યું સામાયિકમાં દર્શન માટે ઊભા થવાય તે કઈ રીતે?
સાહેબજી - જેમ કે પરમાત્માની સામૂહિક ભક્તિ કરવાની હોય, દેવવંદન કરવાનું હોય તો દેરાસરે જવાય. દર્શનાચારના સેવન માટે આ હલનચલન થાય છે. જેમ ગુરુની વૈયાવચ્ચના કારણે, ભક્તિના કારણે વિનય તરીકે પણ સાથે જઈ શકો છો. તેમ શાસ્ત્ર ભણાવનાર પાસે જઈ શકો છો, આ બધું આવશ્યક હોય તો.
પણ જેમ શ્રીમંત માણસ રસ્તામાં સો સો રૂપિયાની નોટો ઉડાડતો ચાલે, તેમ તમે શક્તિઓ વેડફો છો. જો કે સમાજમાં કોઈ આવો મળશે નહિ અને મળે તો તમે તેને મેડ-હાઉસમાં દાખલ કરો, પણ કોઈ આવું વર્તન કરે તો તમને શું લાગે?
સભા:-ચક્રમ.
સાહેબજી:-ચક્રમ લાગે ને? પાંચ રૂપિયાની નોટ એમ ને એમ ફેંકી દે કે ફાડી નાંખે તો મૂર્બો-ગાંડો લાગે? તેમ તમને મળેલ શક્તિની કિંમત તમે કેટલી આંકી છે? પાંચ રૂપિયા જેટલી પણ નહિ ને? તે ગમે તેમ વેડફો તો પણ ડાહ્યા ને? તમારી શક્તિનું મૂલ્ય કેટલું છે તે જાણો છો? આંખ કે કીડની બદલાવવામાં પણ લાખો રૂપિયા થાય છે. પા કલાક વધારે જીવાડવા શ્રીમંતો લાખો રૂપિયા આપવા તૈયાર છે. પાંચ પૈસા જેટલું પણ તમારી શક્તિનું તમે
* * * *
* *
* *
* * *
*
* * * *
* * * * *
* * *
* * * * *
* * *
* * *
* * *
* * * *
* * *
* * *
* *
મનોવિજય અને આત્મશુદ્ધિ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org