SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય જ કારણ છે. જન્મ્યા ત્યારથી કીડની બરાબર ચાલે છે તેમાં પણ પુણ્ય જ કારણ છે. કીડનીના સ્પેશ્યાલીસ્ટની પણ કીડની બગડતાં વાર ન લાગે. જો હોશિયારીથી કીડની ચાલતી હોય તો તે બગડવા દે ખરા? બુદ્ધિના આધારે આ તંત્ર ચાલતું નથી. માટે આપણને જે દેહઇન્દ્રિયો-મન સાધનરૂપે મળ્યાં છે, તે પુણ્યથી જ મળ્યાં છે. ૮૪ લાખ જીવાયોનિમાં આ સાધનો વિશેષરૂપે આપણને આ ભવમાં મળ્યાં છે. બધા માણસને આવાં નથી મળ્યાં, ઘણાને તમારા કરતાં ઇન્ફીરીયર ક્વોલીટીનાં(હલકાં) મળ્યાં છે, પણ તમને તેનાથી ચઢિયાતાં જે મળ્યાં છે, તેના પર તમે જીવનમાં વર્ચસ્વ-કાબૂ સ્થાપવા માંગો છો ખરા? તેના પર તમારી માલિકી છે કે ગુલામી છે? આ બાબતમાં તમારી સ્વાધીનતા છે કે પરાધીનતા છે? તમારી અંદરની જેટલી ગુલામી છે તેટલો તમારામાં અધર્મ છે અને જેટલી તમારી માલિકી છે તેટલો ધર્મ છે. ધર્મ તમારી શક્તિ, વ્યક્તિત્વ, તમારા ગુણો, તમારી સ્વતંત્રતા તમને પાછાં આપવા માંગે છે, તમને મોટા બનાવવા માંગે છે. ભાવમનથી મુક્તિ એ જ આત્માની સાચી મુક્તિઃ - અત્યારે ઇન્દ્રિય-મન સહિત દેહનો કાંઇ ત્યાગ કરવાની વાત નથી. દેહ-મનને સાધનામાં સાથે રાખવાનાં છે, મનને માવજતપૂર્વક જાળવીને રાખવાનું છે, પણ તમે તેના કંટ્રોલર બનો તેટલી જ વાત છે. તમારા જીવનમાં અત્યારે કંટ્રોલર કોણ? બધે નિયંત્રણ વગર ચાલે છે ને? મન દ્વારા ગમે તે પ્રવૃત્તિ થાય? છતાં આ બનવાનું કારણ શું? તેના પર નિયંત્રણ લાવવા જે ચાવીઓ જોઈએ તે ચાવીઓ તમે નથી સમજ્યા, માટે ને? ધર્મના ક્ષેત્રમાં આ પણ એક કળા છે. તમારે દરેક બાબતમાં આત્માની સ્વતંત્રતા પાછી મેળવવી જોઇએ. મનની બાબતમાં શું લક્ષ્ય હોવું જોઈએ તેની હું સ્પષ્ટતા કરવા માંગુ .આપણે ભાવમનનું થોડું સ્વરૂપ-પાસાં જાણ્યાં-વિચાર્યા, પણ લક્ષ્ય શું? મનના સ્વામી, માલિક, અધિપતિ બનવું છે. સભા - સાહેબજી ! અમારો તેના પર કંટ્રોલ નથી, તો શું ઉપયોગ ઓછો કરવો? સાહેબજી - એમ નહિ, તેને વાપરતાં ખૂબ સાવચેતી રાખવાની. આ પણ સાધનો છે. જેમ બેટરીમાં સ્વીચ ઢીલી હોય તો તેનો ઉપયોગ ધ્યાન રાખીને કરો ને? સાધનોનો બિનજરૂરી ઉપયોગ કરવામાં પણ શક્તિ વેડફાય છે. તમને મળેલી શક્તિ વેડફી નાંખવી છે? અમારા શાસ્ત્રમાં લખ્યું છે કે આત્મામાં મૂળભૂત અનંત શક્તિ છે, ભલે બધી શક્તિ ખીલી નથી; પણ જે શક્તિ ખીલી છે તે પુણ્યને કારણે ખીલી છે. આ શક્તિનો ગમે તેમ ઉપયોગ કરવો કે વાપરી નાખવી તે મૂર્ખ માણસનું કામ છે. તે બેવકૂફીનું લક્ષણ છે. જ જ ને કે જે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ઉO મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy