________________
તમારાં દેહ-ઇન્દ્રિય-મન ચાલે છે, પણ તમારી મરજી મુજબ ચાલે છે ? કે મનની મરજી મુજબ તમે ચાલો છો ? દેહ-ઇન્દ્રિય-મનનો કંટ્રોલ કોના હાથમાં છે? તમને ધર્મમાં પણ નડત૨ ઊભી થાય છે તેનું કારણ શું? આયંબિલ કરવાનું આવે તો જીભ ના પાડીને ઊભી રહે ? જરૂર પડે તમે હજા૨ વાર જીભની જરૂરીયાત પૂરી કરી હોય, છતાં તે તમને ના પાડે? વર્ચસ્વ કોનું ? જીભનું કે તમારું ?
તમે તમારા શરીરની સેવા કેટલી કરો છો ? ભગવાનની કે મા-બાપની સેવા કરતાં પણ વધારે કરી હશે ? છતાં પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું છે, તો દેહ શું કહેશે કે કેડ દુઃખે છે, પગમાં તકલીફ છે, આજે બરાબર નથી. એનો અર્થ શું ? દેહ-ઇન્દ્રિય-મનનો તમારી મરજી પ્રમાણે ઉપયોગ થતો નથી. તમે તેમની સેવા ગમે તેટલી કરો, પણ તેમનો કંટ્રોલ કોના હાથમાં ?
તમારો જે સાધન પર કંટ્રોલ ન હોય તે સાધનને તમે વાપરવા તૈયાર થાઓ ખરા ? આ યાંત્રિક જગતમાં કેટલાં મશીનો શોધાયાં છે ? તમને મોટી આલીશાન ગાડી આપે અને કહે તમારે જ્યાં જવું હશે ત્યાં તમે આનાથી જઇ શકશો, પણ તેમાં બ્રેક અને સ્ટીયરીંગ બરાબર નથી, તો તમે તેમાં બેસો ખરા ? કારણ શું ? કંટ્રોલ નથી માટે ને ? તેમ ઘરમાં નાનું ગીઝર, ઇસ્ત્રી કે વોશિંગ મશીન પણ કંટ્રોલ વગરનું હોય તો રાખો ખરા ? આવું નાનું સાધન પણ મારક બની જાય. ફેસીલીટી માટેનાં જેટલાં સાધનોના તમે સ્વામી છો, તેનો કંટ્રોલ તો તમારા હાથમાં જ જોઇએ ને ? કંટ્રોલ વગરનાં સાધન મફતમાં આપે તો પણ રાખો ખરા ? નહીંતર ત્રાસ ઊભો કરે ને ? માટે બધે તમે કંટ્રોલ માંગો છો. કાબૂ જોઇએ. એક નાના મશીનનો પણ કાબૂ ન હોય તો જીવન અસ્તવ્યસ્ત થઇ જાય, તો સર્વ પ્રવૃત્તિઓના પ્રેરક બળ મન પર જ કાબૂ ન હોય તો જીવનનૌકાની શી હાલત થાય ? બ્રેક વગરની ગાડીમાં બેસતાં તો ફફડો, પણ બ્રેક વગરના મનને સાથે લઇને ફરવામાં કોઇ ફફડાટ ખરો ?
તમારે દેરાસ૨માં એક કલાક ભગવાન સાથે એકાકાર થવું છે, તો મન વાંકુંચૂકું થયા કરે ને ? તમારો તેના પર કાબૂ નથી, તેથી તે તમને ગમે ત્યાં રખડવા લઇ જાય ને ? જેમ ઘરમાં તમે પગાર આપીને માણસ રાખ્યો અને તે તમારું કહ્યું માને નહિ અને તે મન ફાવે તેમ કામ કરે, તો તમે રાખો ખરા? કાઢી મૂકો ને ? તમે કહેશો કે તે આપણી મરજી મુજબ કામ કરે નહિ પણ સ્વચ્છંદી થઇને કામ કરે તો કેમ ચલાવાય ? ભલે પછી તે આખો દિવસ કામ કરતો હોય. આવા કામગરાને પણ રાખો ખરા ? તેમ દેહ-ઇન્દ્રિય-મન પુણ્યથી મળ્યાં છે. આ માનવભવઇન્દ્રિયો પુણ્યથી મળ્યાં છે. કેટલાકને આંખ નથી મળી, તમને આંખ મળી છે; તે કાંઇ તમારી હોશિયારી, બુદ્ધિના કારણે મળી છે ? મળ્યા પછી પણ અત્યાર સુધી કામ કરે છે, તેમાં પણ
*************
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org