SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૩-૭-૯૫, રવિવાર. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના પ્રત્યેક આત્માને સ્વતંત્રતાનો સ્વામી બનાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મ આત્માને દેહ-ઇન્દ્રિય-મનની પરાધીનતામાંથી મુક્તિ અપાવે છેઃ ધર્મ એટલે શું? ધર્મ તમને તમારા સ્વામી બનાવે છે, અને તે જ ધર્મનું કામ છે. અનંત અનંત કાળથી આપણો આત્મા પરાધીનતામાં-ગુલામીમાં પડ્યો છે. તેમાંથી બહાર નીકળી મુક્ત બની સ્વતંત્રતાના સ્વામી બનીએ તે જ ધર્મનું લક્ષ્ય છે. જગતના જીવમાત્રને પરાધીનતા ગમે છે અને સ્વતંત્રતા નથી ગમતી તેવું નથી. છતાં આપણો સ્વભાવ શું છે? બાહ્ય જગતમાં આપણા ઉપર કોઈ વર્ચસ્વ રાખે, આપણને કબજામાં રાખે, આપણને કાબૂમાં રાખે તો તે આપણને ગમતું નથી, પરંતુ આંતરિક જગતમાં આપણી પરાધીનતાનો આપણે વિચાર કરતા જ નથી. અનંત કાળથી દેહ, ઇન્દ્રિય અને મનની પરાધીનતા ભોગવીએ છીએ. આપણા જીવનનો કબજો મને જ મેળવ્યો છે ને ? તમારો કાબૂ કોના હાથમાં છે? મન ચાહે તે રીતે તમે ચાલો કે તમે ચાહો તે રીતે મન ચાલે? મનના કહ્યાગરા સેવક હો તેમ તમે વર્તો છો? મન જે સૂચના કરે તે કરવા તમે તૈયાર? એટલે મને તમારી પર વર્ચસ્વ જમાવીને બેઠું છે. આમ, મનમાં શક્તિ અગાધ છે. આ શક્તિ જો તમારા કાબૂમાં હોય તો સદુપયોગનું કારણ બને છે. આ જગતમાં મને જ ઘણાને પાયમાલ કર્યા છે. સભા:-મનનો માલિક તો આત્મા છે ને? સાહેબજી:-હા, મનનો માલિક આત્મા છે. પણ તમે માલિકી રાખી છે કે વેચી દીધી છે? જેમ આ કાળમાં મકાનના માલિકનું ભાડૂત આગળ ચાલે શું? ભાડૂતો અત્યારે માલિક થઈને બેસી ગયા છે. અત્યારે તો સરકારના અમુક કાયદાને કારણે ભાડૂતને મજા છે. જેમ ભાડૂત માલિક થઈ ગયા છે તેમ તમારા જીવનમાં માલિક કોણ? માલિકી તમે મૂળમાંથી ગુમાવી દીધી છે, માટે માલિક અને ભાડૂતનો તફાવત સમજો. ૨૮ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy