________________
માન્યતાઓ કેટલી ઊલટી હતી ! તે કારણે ચોવીસે કલાક તેનો પાપબંધ થતો હતો. અમે વ્યક્તિનાં સારાં-ખરાબ પાસાંનું તટસ્થતાથી મૂલ્યાંકન કરીએ છીએ. તેમના સારા વ્યક્તિત્વને ધોઇ નાંખે તેવી ઘણી ઊંધી માન્યતાઓ તેમનામાં હતી. આ અશુદ્ધિના કારણે જ તેમને પાપ બંધાય છે.
સભા :- આગલા ભવના સંસ્કારના કારણે માન્યતા ઊંધી થાય ?
સાહેબજી :- અત્યારે તો વિચારશૂન્યતાને કારણે ઘણી માન્યતા ઊલટી થાય છે. આ સૃષ્ટિમાં માનવને જ શું ભોગ ભોગવવાનો હક્ક છે ? બીજાને નહિ ? આ તો સ્વાર્થવૃત્તિ કહેવાય. આવી ભેદભાવયુક્ત અહિંસામાં તો સ્વાર્થની ગંધ છે. કુદરતે જેને જીવન આપ્યું છે તેનું જીવન લૂંટી લેવાનો તમને શું હક્ક ? તમારા કોઇ ૨૫/- રૂપિયા લઇ જાય તો બદમાશ કહો છો. શું તેમાં તમે આખા લૂંટાઇ ગયા છો ? તમે કોઇને ગમે તેટલા બરબાદ કરી નાંખો તો પણ તમે નિર્દોષ ! આ અન્યાય છે. બધે પ્રામાણિકતાથી વિચારવું પડે. ઊલટી માન્યતા નિર્વિચારકને ઢગલાબંધ રીતે પ્રવેશી જાય છે. ધર્મના ક્ષેત્રમાં માન્યતા સુધારી નાંખો તો જ સફળ થશો. આ બધી માન્યતા તો સ્થૂલ છે, પછી સૂક્ષ્મ માન્યતાઓ પણ આવશે.
燕洗洗洗洗漤潆燕燕
મનોવિજય અને આત્મશુદ્ધિ
M-5
Jain Education International
For Private & Personal Use Only
૨૭
www.jainelibrary.org