________________
સમ્રાટ હતા. અન્યાય, અનીતિની વાત આવે એટલે ક્ષત્રિય લોહી ઊકળી ઊઠે. આખી જિંદગી ક્ષત્રિય અન્યાય, અનીતિ રોકવા પ્રાણ આપે. તેમણે દીક્ષા લેતાં પહેલાં મંત્રીઓ પાસેથી વચન લીધેલું. તેઓએ કહેલું, “તમે નિશ્ચિત રહો, તમારા રાજયનું અને દીકરાનું અમારા પ્રાણ સાટે રક્ષણ કરીશું. અમે તમારું લૂણ ખાધું છે. વફાદારીમાં પાછા નહિ પડીએ” આવું વચન આપ્યું પછી જ તેમણે દીક્ષા લીધી છે. તેમને વૈરાગ્ય હતો. સંયમની ખૂબ ભાવના હતી. વૈરાગ્ય સાથે ઉતાવળ પણ હતી. આપણા શાસ્ત્રમાં જંગલીની જેમ દીક્ષા લેવાનું કહ્યું નથી. સંસારની આવશ્યક જવાબદારી પોતે પૂરી કરે અથવા જવાબદાર વ્યક્તિને સોંપીને પછી દીક્ષા લે તેમ કહ્યું છે. જયારે આ તો સમ્રાટ છે. તેમને આખી પ્રજાનું રક્ષણ કરવાનું આવે. રાજા તો પ્રજા માટે પિતાના સ્થાને છે. રાજાને ગમે તેટલો વૈરાગ્ય થાય પણ કોઈ ઉત્તરાધિકારી માટે યોગ્ય વ્યક્તિ ન મળે તો રાજા દીક્ષા ન લઇ શકે અને તે તો મહાપાપ લાગે. આપણું શાસન વિવેકવાળું છે. માટે આ રાજા બધી જવાબદારી યોગ્ય મંત્રીઓને સોંપીને નીકળ્યા છે. તેમના પર ભરોસો હતો માટે જ આ રીતે નીકળ્યા છે. અત્યારે જે એમણે સાંભળેલું તે તો ખાલી ગમ્યું જ હતું. ખાલી ખોટી નિંદા જ હતી, કટાક્ષ જ કર્યો હતો. પણ આ સાંભળતાં તેમનું ક્ષત્રિય લોહી ઊકળી ઊઠ્યું. તેમને થાય છે કે મંત્રીઓએ વિશ્વાસઘાત કર્યો ? મંત્રીઓને આટલા સાચવ્યા છે, તો પણ વફાદારીને બદલે બેવફાદારી કરી? તેમને સજા કરવાની ભાવના થઇ. અહિંસક ભાવમાંથી હિંસક ભાવમાં આવી ગયા. છઠ્ઠા ગુણસ્થાનકથી નીચે આવી ગયા છે. માન્યતારૂપે તેમને ધર્મ ઉપર દ્વેષ થયો છે, “મારા આવા કઠોર જીવનમાં ધૂળ પડી. સંયમમાં કાંઈ નથી.” આવું થયું છે. જેમ તમને પણ ધર્મ કરતાં આકસ્મિક કોઇ તકલીફ આવે તો શું થાય? કેવો ભાવ આવે? “ધર્માત્માને ત્યાં ધાડ પડી. ધર્મમાં કાંઈ નથી.” આમ, માન્યતા ઊલટી થાય તે મિથ્યાત્વરૂપ ભયંકર દોષ છે. આ મહાત્માએ નાની ભૂલ કરી છે અને આટલી મોટી સજા થઈ છે તેવું નથી. કુદરતમાં નાની ભૂલની મોટી સજા થતી નથી. ભૂલને સમજતાં આવડવું જોઇએ. ભૂલની કક્ષાની સમજ જોઇએ.
આગળ દષ્ટાંત જોયું તેમાં ગાંધીજીમાં આમ સદ્ગણ કેટલા? દેશપ્રેમ, પ્રજાનાં દુઃખ ખાતર પ્રજાની ગરીબી જોઇને આખી જિંદગી આખું વસ્ત્ર પહેર્યું નથી. એ વ્યક્તિ શું આ લેવલના હતા? કે અપટુડેટ થઈને ફરી શકે તેમ હતા? છતાં બીજાના દુઃખની તેમને કેટલી અસર છે ! ત્યાગ, સહૃદયતા, સાદગી, પ્રામાણિકતા, દેશપ્રેમ કેટલાં છે ! તેઓ સ્વાર્થી કે લુચ્ચા નહોતા. એ વખતે તો નેતાઓને લાઠી ખાવાની હતી. ત્યારની વાત જ જુદી હતી. અમે તેમને દુષ્ટ વ્યક્તિ ચિતરતા નથી. એ વખતના નેતાઓમાં તો આસ્તિકતા પણ હતી. તેઓ ધાર્મિક વ્યક્તિ હતા. પુણ્ય-પાપ પર ગાંધીજીને શ્રદ્ધા હતી, ઇશ્વરમાં શ્રદ્ધા હતી. છતાં
*
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
૨૬
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org