SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ માન્યતાઓથી ચોવીસે કલાક ગાઢ પાપ બંધાતું હોય છે. જેના મનમાં હિંસા માટે એક પણ આવી માન્યતા હોય તો, તે જીવો જે રીતે મરે છે તે રીતે તેને અનેક વખત મરવાનું આવે. આમ ભલે તે વ્યક્તિ કાંઇ હિંસા કરતી ન હોય, પરંતુ તેની વૃત્તિઓ, માન્યતા કેવી ? નાના પાપને પણ પાપ ન માનો તો તેટલી માન્યતા ઊંધી કહેવાશે અને તેનું ફળ ભોગવવું પડશે. ભગવાને જેને સારું કહ્યું છે તેને જ સારું માનવું, તો જ માન્યતા શુદ્ધ થાય. અત્યારે ઊલટાપણું છે, માટે મિથ્યાત્વ છે. સમકિતીની માન્યતા સંપૂર્ણ શુદ્ધ હોય છે. જિનેશ્વરદેવના વચનને અનુરૂપ માન્યતા તે સમકિત છે. મિથ્યાત્વ એ ભારે પાપ છે. સભા:- હિંસા કરતો હોય તેને વધારે પાપ કે જે હિંસાને સારી માનતો હોય તેને વધારે પાપ? સાહેબજી:- હિંસા કરતો હોય, પણ તે ખોટું છે, તેમ દિલથી માનતો હોય તો ઓછું પાપ છે; અને હિંસા ન કરતો હોય પણ હિંસાને સારી માનતો હોય તો ચોવીસે કલાક વધારે પાપ બાંધે છે. પ્રવૃત્તિથી પાપ બંધાય છે તેના કરતાં ભાવ-માન્યતાથી વધારે પાપ બંધાય છે. મનમાં મિથ્યાત્વ ક્યાં તમને હેરાન કરે છે, સાધના કરવામાં ક્યાં આડખીલી રૂપ થાય છે, વિક્ષેપ કરે છે, તેની જ તમને ખબર નથી, જિનેશ્વરદેવોએ જેવાં તત્ત્વો કહ્યાં છે તે અંગે સઘળી માન્યતા શુદ્ધ જોઈએ. ૧૦૦% તેમનાં વચનો સાથે આપણી માન્યતા ટેલી થવી જોઇએ. અધ્યાત્મના ક્ષેત્રમાં માન્યતાશુદ્ધિ એ પાયાનો વિકાસ છે. ધર્મના ક્ષેત્રમાં પહેલાં માન્યતાનું પરિવર્તન કરવાનું છે. ઘણી વ્યક્તિઓ ધર્મના ક્ષેત્રમાં આવે ત્યારે પુણ્ય, પાપ, આત્મા, કર્મ, મોક્ષ માને; પરંતુ મોક્ષમાં અનંતસુખ છે અને સંસારનું સુખ આભાસિક છે તેવું કહીએ તો માનવા તૈયાર થાય નહિ, અને આ જ મૂળ માન્યતાની ફેરબદલી કરવાની છે. કેશી ગણધરને જોઇને પ્રદેશ રાજા શું વિચારે છે? શું બોલે છે? આવા મુંડિયા અહીંયાં મારા નગરમાં ક્યાં ભરાઇ ગયા છે? અત્યારે માન્યતા તેમની કેવી છે? પરંતુ પહેલી વખત જ તેમની દેશના સાંભળીને તેમની માન્યતા બદલાઈ ગઈ છે. હવે તેઓ માને છે કે આત્મા છે, પરલોક છે, પુણ્ય-પાપ એ કલ્પના નથી, પણ નક્કર વાસ્તવિકતા છે. હવે પાયામાંથી જ માન્યતા તેમની બદલાઈ ગઈ. પરંતુ આજ દિવસ સુધી તેઓ ખોટું માનતા હતા. મનની માન્યતા ન બદલી શકે તે ધર્મમાં ન ડૂબી શકે. સંસારમાં તમામ ઉગ્ર પાપ, ઉગ્ર પાપના બંધ જીવની અશુદ્ધ માન્યતાને જ આભારી છે. પ્રસન્નચંદ્રરાજર્ષિના જીવનમાં પણ ખાલી વિચારો નથી બદલાયા પણ આખી માન્યતા બદલાઈ ગઈ છે, મિથ્યાત્વ આવી ગયું છે. તેમનામાં રાજબીજનું લોહી છે. તેઓ ક્ષત્રિય * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * છે, જે જ એ જ છે કે તે જે એ * * * * * * * * ૨૫ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy