________________
સીમિત છે. માનવ ઉપયોગ માટે પશુઓને મારવા ગેરવાજબી નથી. આવાં તેમનાં લખાણ છે, ડોક્યુમેન્ટસ છે. એક વખત એક પત્રકારે તેમને પૂછ્યું “અહિંસાનો તમે સ્વતંત્રતાની ચળવળમાં ઉપયોગ કરો છો તો તમારી અહિંસાની મર્યાદા શું?” તો કહ્યું હતું કે, “મારી અહિંસા માનવ પૂરતી સીમિત છે. પશુને મારવામાં હું પાપ નથી માનતો.” “મુસલમાન માંસાહાર કરે છે તે વાજબી છે કે ગેરવાજબી?” તો કહે, “આહાર સ્વતંત્ર પસંદગીનો વિષય છે. માંસ ખાવામાં જેને મજા છે તે ખાઇ શકે છે. તે ખરાબ કામ કરે છે તેવી મારી માન્યતા નથી.” તેમ સ્વામી વિવેકાનંદના પણ આ જ વિચારો છે. તેઓ કહેતા કે “જે વ્યક્તિને માંસ પસંદ હોય તો તે આનંદથી ખાય. ખોરાક સૌ સૌની પસંદગીની વાત છે.” અને ઘણા લોકો આ બન્ને વ્યક્તિઓની પ્રશંસા કરતા હોય છે.
તેમ આ ખેરનાર, જે પ્રામાણિક વ્યક્તિ તરીકે વખણાઈ ગયા છે, તે પ્રામાણિક છે તેમાં ના નહિ, પરંતુ સરકારે તેમની કતલખાનાના ઇન-ચીફ” તરીકે બદલી કરી ત્યારે અમુક જૈનોનું ડેપ્યુટેશન' કતલખાનામાં હિંસા ઓછી કરાવવા તેમને મળવા ગયું, અને દેવનારમાં જે પ્રાણીઓની કતલ થાય છે તેનો રીપોર્ટ બતાવ્યો, ત્યારે તેમણે કહ્યું કે, “પશુઓની જે કાયદેસર હત્યા થાય છે તેને હું અધર્મ નથી માનતો. હું પુણ્ય-પાપ નથી માનતો. ઇશ્વર એ કપોળકલ્પના છે. કોઈ વ્યક્તિને માંસ ખાવાની ઇચ્છા હોય તો તે ખાઈ શકે છે. કાયદેસર પશુ કપાય તેમાં મારો વિરોધ નથી. કાયદા વગર કપાય તેની સામે પગલાં લઇશ.” પણ પછી તો ત્યાંથી પણ તેની બદલી થઈ ગઈ. માટે વિચારજો, કે અહિંસા અંગેની તેમની માન્યતા શું કે પશુહિંસામાં કશું ખોટું નથી.
ગાંધીજી કહે માખી-મચ્છર દ્વારા રોગ ફેલાતો હોય તો તેને મારી નાંખવા તે માનવતાનું કામ છે, સત્કાર્ય છે. ઘણી વખત તેમણે જીવનમાં આચરણરૂપે પણ આવી વાતોનો અમલ કર્યો છે. આવી વ્યક્તિ અમુક હિંસા ખરાબ છે તેમ માને અને અમુક હિંસાને સારી માને, માટે હિંસાની અનુમોદના તેમને કાયમ ખાતે અંદર પડી છે, પછી ભલે તે હિંસા કરે કે ન કરે. અમદાવાદમાં સારાભાઇએ ૬૦ કૂતરાં માર્યા, તો તે વખતે ગાંધીજીએ તેમને કહ્યું કે “તમે સત્કાર્ય કર્યું છે.” માટે વિચારજો, માન્યતા એટલે શું? સબ-કોન્સીયસ માઈન્ડમાં પડેલી ખોટી માન્યતાઓ કેવાં ભયંકર કર્મો સતત બંધાવી શકે?
અત્યારે ઘણા કહે છે કે, “શું દુનિયામાં બધા લોકો શાકાહારી થઈ જાય ? તો પછી અનાજની કેટલી તંગી ઊભી થશે? અને તમને પણ પૂરતું ખાવા નહીં મળે.” આવું બોલનારા આડકતરી રીતે માંસાહાર કે હિંસાને સારી માને છે. આમ તો પોતાને ચૂંટિયો ખણે તો રાડ પાડે અને બીજાને આખા કાપી નાંખે તો પણ ખોટું કામ નથી લાગતું. આવી ભેદભાવ ભરેલી
ક * *
* * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
* ક ક ક ક ૨૪
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org