SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછે છે કે આવા પણ મહાત્માની જો આવી વાત છે તો પ્રભુ બીજાની શું વાત? વિચારીએ તો આ મહાત્માનું વ્યક્તિત્વ કેવું છે ! સાધના કેવી છે ! બેકગ્રાઉન્ડ કેવું છે ! ઉત્તમ કોટીના મહાત્મા છે. આ જોતાં અહોભાવથી માથું ઝૂકી જાય તેવું છે. પરંતુ તે વખતે તેમના વિચારો ખાલી નથી બદલાયા પણ ભાવોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ખાલી વિચારોમાં શુદ્ધિ, અશુદ્ધિથી કાંઈ આવું થતું નથી, પરંતુ સમગ્ર ભાવોમાં પરિવર્તન આવવું જોઇએ. લબ્ધિમનને સમજવા દષ્ટાંત લઈશું. પછી જાત સાથે સરખાવજો. લબ્ધિમનના પરિવર્તન માટે પહેલાં માન્યતાને તત્ત્વાનુસારી કરોઃ લબ્ધિમનના એક ડીપાર્ટમેન્ટ(ભાગ) તરીકે કહી શકાય તો તે માન્યતા છે. તમે દરેક વસ્તુ માટે શું માનો છો? ચોવીસે કલાક તે સંબંધી માન્યતા તમારા મનમાં ધરબાયેલી પડી છે. જેમ મીઠાઈ ખાવા જેવી છે, રસગુલ્લાં કે ગુલાબજાંબુ ખાવા લાયક છે, તે ટેસ્ટ કરવા લાયક છે; તેવી જે માન્યતા છે તે ચોવીસે કલાક અંદર રહે કે બદલાઈ જાય? દરેક વ્યક્તિ પોતાની આગવી માન્યતા લઈને ફરતી હોય છે. જેમ કે, “પૈસાથી આનંદ-પ્રમોદ પ્રાપ્ત થાય છે તેમ અનેક વસ્તુઓ માટેની માન્યતાઓ અંદર ધરબાયેલી છે. તમે સારાને સારું માનો છો? ખરાબને ખરાબ માનો છો? કે ખરાબને સારું માનો છો? અને સારાને ખરાબ માનો છો? સમકિતને માન્યતા સાથે સંબંધ છે. સભા:- અનુભવથી માન્યતા થાય? સાહેબજી - વિચારશીલતા અને અનુભવથી માન્યતા ઘડાય છે. પણ તેનું સર્જન કઈ રીતે થાય છે તે આગળ આવશે. સર્જન કરવું તે સાધનાની પ્રક્રિયા છે. “આ આધુનિક યંત્રવાદ-વિજ્ઞાન માનવના ભલા માટે છે. તે શોધખોળ કરી માનવને લાભ કરાવે છે,” આ વિજ્ઞાન માટે તમારી સારાપણાની માન્યતા થઈ. તેમ “ધર્મ એટલે શું? નવરા માણસનું કામ.” વળી કોઇ કહેશે, “આત્મા નથી, પરલોક નથી, કર્મ નથી.” તો આ બધી વાતો સત્યની વિરુદ્ધ માન્યતા થઇ ને? માટે તમે શું માનો છો તેનું પૃથક્કરણ તમારે કરવું જ જોઇએ. માન્યતા શુદ્ધ છે કે અશુદ્ધ છે? ખોટી માન્યતા ચોવીસે કલાક ભારે કર્મબંધ કરાવે તેવી શક્તિ ધરાવે છે. હિંસાને સારી માનો છો તો ચોવીસે કલાક હિંસાની અનુમોદનાનું પાપ બંધાય છે. દા.ત. ગાંધીજી માનવહિંસાને ખરાબ માનતા અને તેને અપરાધ સ્વીકારતા. તે દુષ્ટતા છે, દુર્ગુણ છે તેમ માનતા; પણ પ્રાણીહિંસાને ખરાબ માનતા નહિ. સ્પષ્ટ કહેતા કે, મારી અહિંસા માનવ પૂરતી મનોવિજય અને આત્મશુદ્ધિ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy