SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) લબ્ધિમન : ઉપયોગમનમાં ચોવીસે કલાક ચેતના પ્રવર્તમાન છે, જ્યારે અંતર્નિહિત જે ભાવો ધરબાયેલા છે તે લબ્ધિમન છે; તેમાં ચેતના પ્રવર્તતી નથી. જેમ અત્યારે દુનિયામાં ઘણી વસ્તુઓ છે. તેના પ્રત્યે રાગ, દ્વેષ, લોભ, ઇર્ષાનો પ્રતિભાવ અંદર ધરબાયેલો પડ્યો છે. તે બધાને અમે લબ્ધિમનમાં સંગ્રહિત કરીએ છીએ. ઉપયોગમન કરતાં કરોડ ગણું વિશાળ લબ્ધિમન છે. મનનું ગોડાઉન આ લબ્ધિમન છે. જેમ વેપારીઓ નમૂનારૂપે માલ દુકાનમાં રાખે. તમે ક્વોલીટી પસંદ કરો પછી ગોડાઉનમાંથી જ લાવી આપે ને ? તેમ ઉપયોગમનનું ગોડાઉન લબ્ધિમન છે. તેમાં સારો માલ પણ ખરો અને ખરાબ માલ પણ ખરો. જેટલું વ્યક્તિત્વ સારું તેટલું અંદર સારું. સજ્જનતા, ઉદારતા, પરોપકારિતા, નિઃસૃહિતા હશે તેટલી નિર્મલતા સારી રહેવાની. તેમ આખા ગામની ગંદકી પણ હોય. માટે સ્ટોરહાઉસનું નિરીક્ષણ, પરીક્ષણ કરવું જ પડે. તમારા મનથી લાભ, નુકસાન તમને જ છે. તમે જ તેના સર્જક છો, વિસર્જક છો. કર્તા પણ તમે છો, ભોક્તા પણ તમે છો. તીર્થંકરો આખા જગતને અધ્યવસાયનાં રહસ્યોને સમજાવવા જ ઉપદેશ આપે છે. તીર્થંકરો જીવમાત્રના ભાવમનરૂપ અધ્યવસાયને જાણે છે, સાક્ષાત્ વાંચી શકે છે. ગઇ વખતે આપણે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત લીધેલું. તેમાં બનાવ એવો છે કે શ્રેણિકરાજા ભગવાનને વંદન કરવા જતાં માર્ગમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને વિશિષ્ટ મુદ્રામાં કાઉસ્સગ્ગધ્યાને જોઇ તેમની બાહ્ય પ્રવૃત્તિથી પ્રભાવિત થયા છે. તેમને રસ્તામાં સેંકડો સાધુ મળ્યા છે. તેમને ગુણિયલ વ્યક્તિમાત્ર પ્રત્યે બહુમાન છે, કારણ કે તેના વગર સમકિત રહેતું નથી. છતાં તેમને આ મહાત્મા પ્રત્યે વિશેષ અહોભાવ થયો છે. માટે હાથીની અંબાડી પરથી ઊતરી, પ્રદક્ષિણા આપી વંદન કર્યું છે. તેમને લાગે છે, કેવા રાજેશ્વર હતા, કેવી રિદ્ધિસિદ્ધિ હતી, છતાં ત્યાગ કરી કેવી કઠોર સાધના કરે છે ! મોંમાં આંગળાં નાંખી જાય તેવી અત્યારે સાધના છે. દોઢ પગે મધ્યાહ્નના તડકામાં સૂર્ય તરફ દૃષ્ટિ કરી, હાથ ઊંચા રાખી સાધના કરી રહ્યા છે. બે મિનિટ માટે તમે આવો અખતરો કરો તો શું થાય ? તેમની ઇન્દ્રિયોનો અંકુશ કેટલો ! સંયમ કેટલો ! એકાકાર થઇ આતાપના લે છે, ધ્યાનમાં છે. આવી પ્રવૃત્તિને જોઇને શ્રેણિકને થાય છે કે તેમના મનની સ્થિતિ કેટલી અનુપમ હશે ! માટે અત્યારે તેમનું આયુષ્ય બંધાય તો શેનું બંધાય ? આમ વિચારી પ્રભુ પાસે જઇ દેશના સાંભળી પ્રભુને પૂછે છે કે મેં જે વખતે આ મહાત્માને વંદન કર્યું તે વખતે જ આવી સાધનામાં કાળ કરે તો તે મહાત્મા ક્યાં જાય ? પ્રભુ જવાબ આપે છે સાતમી નરકે જાય. શ્રેણિકરાજા આ સાંભળી હલબલી ગયા. પ્રભુ મનના અધ્યવસાય વાંચી શકે છે માટે ફળ કહી શકે છે. શ્રેણિક ૨૨ Jain Education International For Private & Personal Use Only **** ******* મનોવિજય અને આત્મશુદ્ધિ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy