________________
અશુદ્ધિ છે તેને વિચારો છો ખરા? તમે ઊલટી દષ્ટિ લઇને ફરો છો. બધી તકલીફોનું કારણ તમને બહાર જ દેખાય છે. પણ આ દર્શન ખોટું છે, અવાસ્તવિક છે.
આવાં દશ્યો જોયાં માટે વિકાર થયો; પણ મનમાં વિકાર હતો માટે આવાં દશ્યો જોતાં રસ પડ્યો, તેમ માનો ખરા? જો લોભ ન હોય અને પૈસા મળે તો આનંદ થાય? અમને લાખ રૂપિયા મળ્યાનો આનંદ થાય ખરો? જેના મનમાં તૃષ્ણા નથી તેને આનંદ થાય નહિ. તમારામાં તરસ છે માટે જ આકુળવ્યાકુળ થાઓ છો. વગર તરસે પાણી પીઓ તો મજા આવે ખરી? માટે તમે મનની સપાટી પરનું રીડીંગ કરતા થાઓ.
જેમ રસ્તે જતાં સારું મકાન, સારો ડ્રેસ, સારો વૈભવ, અપ ટુ ડેટ માણસ કે પછી ઉકરડો, ગંદકી જુઓ તો શું થાય? સારો બંગલો જુઓ કે સારી ગાડી જુઓ તો પણ શું થાય? કોઇ બંગલામાં પેસવા દેવાનું નથી કે ગાડીમાં બેસાડવાનું નથી, છતાં પણ રાગ ઊભરાય?
સભા:- સાહેબ ! જ્ઞાન છે માટે રાગ ઊભરાય છે.
સાહેબજી :- જ્ઞાન છે માટે શું ઉપાધિ છે? અજ્ઞાની બની જશો તો ઉપાધિ જશે? સિદ્ધભગવંતોને કે કેવળીને જ્ઞાન જ છે, છતાં તેમને ઉપાધિ છે? તમને ઉપાધિ જ્ઞાનની નથી, પણ અંદર રહેલી વિકૃતિની છે. હા, જેના મનમાં અતૃમિ, વાસના, વિકારો વધારે તેને જ્ઞાન ઉપાધિ થશે. જેને આ બધું નથી તેને જ્ઞાન ઉપાધિ નથી બનતું.
આજનું સાયન્સ તમને ઘરે બેઠાં આખી દુનિયા બતાવે છે. તે યંત્રો દુઃખનાં સાધન લાગે છે ખરાં? એ પણ પાછા પૈસા આપીને ખરીદો છો અને કાયમ તેનું મેન્ટેનન્સ ચૂકવો છો. તમારો મનોરંજનનો જેટલો ખરચો છે તેટલો ધાર્મિક ખરચો છે ખરો? કેમ નથી? કારણ કે બધાને તમે સુખનાં સાધન માન્યાં છે, ધર્મને નહિ. પણ વાસ્તવમાં આ બધાં મનોભંજનનાં સાધનો છે. કારણ કે જેટલી મનમાં વિકૃતિ વધારે તેટલા નાટક સીનેમા જોવાથી અંદરમાં ઉશ્કેરાટ, અજંપો, આવેગ વધશે. જેમ મજૂર આખો દિવસ મજૂરી કરે, અને સાંજે રૂપેરી પડદા પર રૂપ જુએ, જે તેને કદી જીવનમાં મળવાનું નથી; જોવાથી મનને પણ ડામ આપે છે. આ સાધનો ઉશ્કેરાટ અપાવી અંદરથી પજવણી કરે છે. તમારી શું સ્થિતિ છે? પડદા પર જે બતાવે છે તે શું વાસ્તવિક જીવનમાં મળે છે? ના, તે એક દિવાસ્વપ્ન જ છે. આ જોઈને ઘણા બરબાદ થઈ ગયા, છતાં આ દુ:ખનાં સાધન છે તેવું લાગે છે ખરું?
મનનાં અનેક પાસાં છે, તેમાં આપણે ઉપયોગમનનો વિચાર કર્યો. આગળ તમામ પાસાંની દૃષ્ટાંતથી સમીક્ષા કરીશું.
મનોવિજય અને આત્મશુદ્ધિ
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org