________________
શકો છો ખરા? મોટું મોટું વાંચી લો બાકીનું બધું ખાઈ જાઓ. સ્થૂલ આવેગોને વાંચી શકો છો પણ સપાટી પરના સૂક્ષ્મ આવેગોને વાંચી શકો છો ખરા? તળિયાનું વાંચવાની તો પછી વાત જ શી? આખી દુનિયામાં માથું મારો છો પણ અંદર શું થાય છે તેની ખબર નથી.
જે ધર્મ કરે તેનામાં આત્માવલોકન આવે. આંતરદષ્ટિને પામ્યા વગર જીવનમાં સાચી શાંતિ નથી અને તેના વગર સાચો ધર્મ પણ નથી. યોગશતક ગ્રંથમાં પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિએ લખ્યું છે કે, “જેણે પ્રતિદિન યોગની આરાધના કરવી હોય તેણે પ્રતિદિન પ્રતિક્ષણ આત્માવલોકન કરવું જોઇએ.” ત્યારે શિષ્ય પૂછ્યું કે, “તેના પર તમે આટલું વેઇટ(વજન) કેમ આપો છો?” ત્યારે ઉત્તરમાં કહ્યું કે “જેનામાં આત્માવલોકન નથી તેને અમે યોગમાર્ગમાંથી રદ કરીએ છીએ.” જેનામાં આત્માવલોકન નથી તેની યોગમાર્ગમાં પ્રગતિ શક્ય નથી. યોગ દ્વારા અંદરમાં અપૂર્વ મેળવવાનું છે. જો આ દષ્ટિ ન હોય તો તમે કઈ રીતે મેળવો? તમે આત્માવલોકનને જીવનમાં મહત્ત્વ નથી આપ્યું. ૫૦ વર્ષથી ધર્મ કરનારને પૂછો કે તમારા મનને તમે જાણો છો ખરા? તો શું જવાબ મળે? ઘણા કહે છે સાહેબ ! મન હાથમાં નથી આવતું, મન ઠેકાણે નથી રહેતું, તો મનને કઈ રીતે હાથમાં લેવું? પરંતુ તમે કદી મનોવિજય માટે વિચાર કર્યો છે ખરો? અમારે કાંઈ આખી સાઇકોલોજી ભણાવવાની નથી. એ તો તમને પ્રોફેસરો કોલેજમાં ભણાવે છે. પરંતુ આ જાણો તો તમે તમારા જીવનમાં શાંતિથી જીવી શકો. ભૌતિકસુખ પામવા પણ મન સ્વસ્થ જોઇએ, અધ્યાત્મસુખ પામવા માટે પણ મન સ્વસ્થ જોઇએ. સુખ પામવા અને દુઃખ છોડવા મનનું ઘડતર કરવું પડે. વાસ્તવિક ફળને મેળવવા આ જ ઉપાય છે. જે પ્રવૃત્તિ કરો છો તેનું અવલોકન કરો. તમારું પોતાનું, બીજાનું નહિ. વેપારી તરીકે ઘરાક જોઇને ભાવ કરો ને? તમારા મનના ભાવ વાંચવામાં તમે ગમાર, બાકી બધાના માઈન્ડ રીડીંગમાં હોશિયાર. કેમ ખરું ને?
ઇન્કમટેક્ષવાળા સાથે વાત કરતા જાઓ અને તેનું મો જોતા જાઓ, જરા ગોટાળો લાગે તો ગુલાંટમારો ને? પણ હવે સેલ્ફ-રીડીંગ(આત્મનિરીક્ષણ) ચાલુ કરો. તમારા મનમાં રાગ, દ્રષ, રતિ, અરતિ વગેરે બધા ભાવો નિમિત્તથી કે નિમિત્ત વગર થાય છે? યાદ રાખજો, સપાટી પર જેટલો કચરો આવે છે તે તળિયેથી જ આવે છે. “કૂવામાં હોય તો હવાડામાં આવે” આ તમારે ત્યાં પણ કહેવત છે ને? અજાગ્રત મનમાં જે છે તે જ ઉપર આવે છે. બહારનાં નિમિત્તો તો માત્ર આલંબન ઊભું કરે છે, જયારે તમે મોટે ભાગે નિમિત્તોને જ જવાબદાર ગણો છો. ઇર્ષા, ક્રોધ, રાગ, માન, અહંકાર આ બધા ભાવો થવાનાં કારણોને તમે બહાર માન્યાં છે. તમે આખો દિવસ તમારી ભૂલની જવાબદારી બીજા પર જ નાંખો છો. તમે કહેશો કે આવો સ્વાર્થી ભાઈ ભટકાઇ ગયો છે તો ગુસ્સો તો આવે જ ને? પણ તમારા મનમાં
મ મ મ મ મ મ મ મ એક જ * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
વક એક ગી ર ર0
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org