________________
અત્યારે ઘર પર મમતા છેને? માટે કર્મબંધ ચાલુ છે. બેન્ક બેલેન્સ પર મમતા છે એટલે કર્મબંધ ચાલુ છે. અહીંયાં બેઠા બેઠા સાંભળો કે ૫૦ હજાર ગયા તો પ્રાસકો પડે ને? પૈસા ઘરે મૂકીને આવ્યા છો પણ મમતા તો સાથે જ છે ને? તમે આખી દુનિયાથી અળગા થઇ શકો પણ મનથી અળગા થઇ શકતા નથી. મનોભાવ પ્રમાણે સુખ, દુઃખ, કર્મબંધ છે. મનનો તાગ મેળવ્યા વગર સાધનામાં સફળતા મળતી નથી. ઘણાને એમ કે આ બધી પંચાતમાં શું પડવાનું? તમને ધર્મમાં ઊંડા ઊતરવું ફાવે કે સંસારમાં ઊંડા ઊતરવું ફાવે? “મહારાજ સાહેબને મોક્ષ જોઇતો હોય તો તે તત્ત્વની પિંજણ કરે” કેમ બરાબર ને?
સભા:- તમે તો અમને તૈયાર માલ પીરસો છો.
સાહેબજી:-હા, પરંતુ તે ઝીલવાની તૈયારી તો જોઇએ ને? તૈયાર કોળિયો મૂકીએ પણ ચાવવાની તૈયારી તો જોઈએ ને? માટે સાચી આરાધના કરવી હોય તો આટલો તો રસ લેવો જ પડે. પ્રસંગે પૂજા, સામાયિક, પ્રતિક્રમણમાં આવા અધ્યવસાય જોઈએ તેવું સમજાવીએ તો તે બધું બમ્પર જાય છે. કારણ? મનનું સ્વરૂપ સમજ્યા નથી માટે ભાવમનમાં આટલી શુદ્ધિ આવે તો સમકિત આવે, આટલી શુદ્ધિ આવે તો વિરતિ આવે, આ બધું સમજાવું જોઇએ. પરંતુ અત્યારે અણસમજ છે માટે જ ગોટાળા કરો છો.
ભાવમનના પ્રકાર :
ભાવમનના મુખ્ય બે ભેદ છે. (૧) ઉપયોગમન અને (૨) લબ્ધિમન. આ બન્ને શાસ્ત્રીય શબ્દો છે. વિજ્ઞાનની પરિભાષામાં કહેવાય છે (૧) કોન્સીયસ માઈન્ડ અને (૨) અનકોન્સીયસ માઈન્ડ. ચોવીસે કલાક આ બેઉ મન જોડાયેલાં છે.
(૧) ઉપયોગમન:
આપણી ચેતના સતત સક્રિય છે. માટે ઉપયોગમનચોવીસે કલાક પ્રવૃત્તિ કરે છે. શાસ્ત્રમાં લખ્યું છે, “પયો નક્ષvi નીવસ્થા”ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ વગરનો કોઈ જીવ હોય નહિ. ઉપયોગ એટલે મનની એકાગ્રતા. મન જયાં પરોવાય તે તમારા મનનો ઉપયોગ. જેમ તમે કબાટનો વિચાર કરો તો કબાટમાં તમારો ઉપયોગ. જેમ પૈસાનો વિચાર કરો તો તમારું મન પૈસામાં છે. જેમાં એકાગ્રતા-તલ્લીનતા આવી તેમાં તમારું મન છે. જેનો વિચાર કરો તેમાં તમારું મન છે.
૧૮
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org