SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ ડોલમાં મેલું પાણી હોય, પણ જો પાણી થોડી વાર પડ્યું રહે તો પાણી સ્વચ્છ દેખાય ને ? વાસ્તવમાં પાણી સ્વચ્છ છે કે ડહોળું છે ? પાણીને હલાવો એટલે મેલ ઉપર આવશે. તેમ તમારું મન શાંત ક્યાં સુધી ? કોઇ સળી ના કરે ત્યાં સુધી ને ? સળી કરે એટલે અંદરનો કચરો ઊભરાય ને ? તમે શાંતિથી સોફા પર બેઠા હો ત્યારે લાગે કે આપણું મન શાંત છે, પણ પરિસ્થિતિ એવી નથી. સામાયિકમાં આરાધના કરો છો ત્યારે ડાહ્યા ડમરા થયા લાગો છો, તમને લાગે અત્યારે મન શાંત છે, પણ હકીકતમાં ત્યારે પણ શાંત નથી. અંદર તે વખતે પણ કચરો ભરેલો છે, કાંઇ બહાર નીકળી ગયો નથી. માટે મનની સ્વચ્છતા-નિર્મળતાની સાચી વ્યાખ્યા સમજવાની છે. સભા ઃ- બધો કચરો જલદી ન નીકળી જાય ? સાહેબજી :- ઉતાવળા ન થાઓ. જો બધો કચરો નીકળી જાય તો વીતરાગ થઇ જાઓ. પણ જેટલો કચરો બહાર કાઢ્યો એટલા ચોખ્ખા થયા કહેવાઓ, કચરો નીચે બેઠો છે એટલે મન સ્વચ્છ થયું તેવું નથી. સ્વચ્છતા, મેલ નીચે બેસાડવારૂપ છે કે મેલ બહાર કાઢવારૂપ છે ? સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, તપ, આરાધના દ્વારા થોડો પણ કચરો આઉટલેટ થવો(બહાર નીકળવો) જોઇએ. તેને સપ્રેસ કરીને(દબાવીને)-નીચે બેસાડીને ન રખાય. તમારું મન શાંત ક્યાં સુધી ? નિમિત્તો દ્વારા વિરુદ્ધ વાતાવરણ ઊભું ન કરો ત્યાં સુધી ને ? માટે આને આપણે ખરી શુદ્ધિ કહેતા નથી. જૈનશાસનનું તત્ત્વ બરાબર સમજજો. પ્રતિક્રમણ, સામાયિક કરતાં એટલા ટાઇમ પૂરતું કોઇપણ નિમિત્ત મળે તો પણ મન અંદરથી શાંત રહેવું જોઇએ અને શાંતિ ન રહે તો તે વાસ્તવિક શુદ્ધિ નથી, કારણ કે કચરો અંદર પડ્યો છે. જેમ પાણીમાં ગંદકી છે તો તેની અસ૨ પાણીમાં રહેશે ને ? તમારા મનમાં રહેલા વિષય-કષાય અત્યારે ઉપરથી શાંત છે પણ અંદરથી શાંત નથી, માટે તેનાથી કર્મબંધ તો ચાલુ જ છે. વિચારોમાં ક્રોધ આવે તો કર્મ બંધાય પણ પ્રકૃતિમાં ક્રોધ હોય તો પણ ચોવીસે કલાક કર્મનો બંધ ચાલુ છે. કર્મબંધમાં પ્રકૃતિનો મહત્ત્વનો ફાળો છે. કર્મબંધમાં વૃત્તિ, પ્રકૃતિ, સંસ્કારો, પરિણતિ બધાનો ફાળો છે. સભા ઃ- કઇ રીતે કચરો ઉલેચવો ? સાહેબજી :- તે આગળ આવશે. અત્યારે તો તમારી અંદર શું લોચા ભર્યા છે, તેની જ તમને ખબર નથી. અત્યારે તમે શાંત છો એનો અર્થ એવો ખરો કે તમારા મનના ઊંડાણમાં રહેલા રાગ, દ્વેષ, ક્રોધ, માન વગેરેથી કર્મબંધ નથી થતો ? ના, થાય છે. જેમ અહીંયાં તમે આવ્યા છો પણ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only ૧૭ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy