________________
આપણે આ વાત એક દષ્ટાંત દ્વારા વિચારીએ. ૧૫' x ૧૫'ની કે ૧૦' x ૧૦”ની એક ટાંકી અને એક કૂવો લઈએ. કૂવો અવાવરો નથી, બન્ને પાણીથી ભરપૂર લેવાના છે. બન્નેની હાઇટ, લંબાઈ, પહોળાઈ સરખાં હોય. અંદર પાણી પણ બન્નેનું સરખું હોય. હવે તમે બન્નેને જુઓ તો એટ એ ગ્લાન્સ(પ્રથમ દૃષ્ટિએ) શું લાગે? બન્નેમાં પાણી સરખું લાગે. પણ વાસ્તવમાં શું સરખું છે? - હવે તમે ટાંકીને ઉલેચવાની ચાલુ કરો તો થોડીવારમાં ખાલી થઈ જશે, પણ કૂવાને ઉલેચવાનું ચાલુ કરો તો શું થાય? તેને કેટલી વાર લાગે? જેમ કૂવામાંથી પાણી કાઢતા જાઓ તેમ નીકો દ્વારા અંદર પાણી આવતું જાય. કૂવામાં જે દસ ફૂટ પાણી બતાવે છે, તે તે એરિયાની જમીનની તથા પાણીની સપાટીનું માપ બતાવે છે. તેને ખાલી કરતાં બીજું પાણી નીકો દ્વારા અંદર આવતું જાય છે. જ્યારે ટાંકીમાં દસ ફૂટ પાણી તળિયાની સપાટીનું માપ બતાવે છે. પણ તેને ખાલી કરતાં બીજું પાણી ક્યાંયથી પણ આવી શકવાનું નથી. બેઉ વચ્ચેનો તફાવત સમજયા?
તમારા મનને કૂવાની ઉપમા આપી છે, ટાંકીની ઉપમા આપી નથી. કૂવામાં નીક દ્વારા પાણી આવ્યા જ કરવાનું છે. જયારે આખા એરિયાના તળનું પાણી ઓછું થશે ત્યારે જ કૂવામાં પાણીનો સ્ટોક ઓછો થશે. તેમ તમારા મનની સપાટી પરના-ઉપયોગ મનનાં જે ભાવો દેખાય છે તેના કરતાં અનેક ભાવો અંદર લબ્ધિમનમાં સંગ્રહિત છે. જેમ કોઈક નિમિત્ત મળ્યું, કોઇએ ગાળ આપી, તો ક્રોધના વિચાર આવ્યા. હવે સપાટી પર ક્રોધ દેખાય છે. શું તેટલો જ ક્રોધ છે? કે પછી અંદર ઘણો ક્રોધ ધરબાયેલો છે? જે સુષુપ્ત રીતે પડેલો છે. જે વ્યક્તિ પર ક્રોધ આવ્યો તે શું એક જ વ્યક્તિ પર ક્રોધ છે? ના, બીજી વ્યક્તિ પર પણ નિમિત્ત મળતાં ક્રોધ આવશે. માટે બીજી ઘણી વસ્તુઓ કે વ્યક્તિઓ પર પણ ક્રોધ અંદર સંગ્રહિત છે. જેમ કૂવામાં નીકોનું પાણી કનેક્ટડ છે, પણ અત્યારે તેને આવવાનો સ્કોપ નથી, તેથી પાણી દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે. માટે કૂવાના પાણીની ઊંડાઈ ઘણી જ માનવાની, ટાંકીના પાણીની ઊંડાઈ દેખાય છે તેટલી જ માનવાની. તેમ તમારા મનની ઊંડાઈ દેખાય છે તેટલી જ છે? કે કૂવાની જેમ અગાધ છે?
હવે કૂવામાં જેવું પાણી ઉલેચશો તેવુંનીકો દ્વારા ખારું કે મીઠું જેવું પાણી હશે તેવું જ કૂવામાં આવશે. કૂવો તો એ જ રહેશે. તેમસુષુપ્ત મનમાં જે ભાવપડ્યા છે તે જ સપાટી પર આવશે. આવું તમે માનો છો ખરા? આવું નિમિત્ત મળ્યું માટે આવા ભાવ આવ્યા તેવું નથી, હકીકતમાં અંદર હતું તે બહાર આવ્યું છે. પેલાએ આમ કર્યુંમાટે મને આમ થયું તેવું નથી. બહારનાંનિમિત્તો ભાવ પેદા કરતાં નથી, પરંતુ બહારનાં નિમિત્તોથી અંદરમાં મેલ હતો તે સપાટી પર આવ્યો છે.
મનોવિજય અને આત્મશુદ્ધિ
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org