SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવમન ભાવોનો સમૂહ છે. ' અત્યારે આપણે બધા બેઠા છીએ તેમાં બધાનું ભાવમન જુદું છે, સમાન નથી તથા ભેળસેળ પણ નથી. જેમ બધાના દેહ જુદા છે, સ્વતંત્ર છે, પાચનશક્તિઓ જુદી છે, શરીરનું આખું તંત્ર જુદું છે, તેમ ભાવમન વ્યક્તિ ભેદે જુદું છે. દરેક વ્યક્તિનું ભાવમન સ્વતંત્ર છે, તેમાં એકરૂપતા નથી. હજારમાં કે લાખમાં બે વ્યક્તિ સરખા મોઢાવાળી મળે ખરી? બે જ હાથ છે, કાન પણ બે જ છે, નાક એક છે છતાં ફિઝીકલી ગ્રાફ જુદા? કદાચ લાખમાં બે મોઢાવાળા સરખા મળે પણ આખું શરીર સરખું હોય તેવા કેટલા? અને છેલ્લે હાથની રેખાઓ તો પરસ્પર જુદી પડે જ. આજનું વિજ્ઞાન પણ ફીંગરપ્રીન્ટથી ગુનેગાર શોધે છે. હવે કદાચ બે હાથની રેખા સરખી આવે પણ ભાવમન તો કરોડે પણ જવલ્લે જ સરખું આવે. બે વ્યક્તિ કદાચ એક સરખા વિચાર-પ્રવૃત્તિ કરતી હોય તેવું બને; જેમ બે માણસ એક સરખું સ્તવન ગાય છે, પ્રવૃત્તિ સરખી છે અને તે બન્ને માણસ તે વખતે એક અર્થનો જ વિચાર કરે છે, માટે વિચાર પણ સરખા છે; છતાં તે વખતે ભાવમન જુદું પડે છે. ભાવમનમાં એટલા બધા ભાવોનું વર્ણન છે કે વ્યક્તિભેદે અસમાનતા રહે છે. માટે જ કર્મબંધ બધાનો જુદો રહે છે. કર્મબંધનો સંપૂર્ણ આધાર ભાવમનને આભારી છે. જેવું તમારું ભાવમન તેવો પ્રતિક્ષણ કર્મબંધ થાય છે. જેવો તમારા ભાવમનનો પલટો, તેવો કર્મબંધમાં પલટો આવે. એક વ્યકિતનું કાયમ માટે ભાવમન એક સરખું હોતું નથી. આ ક્ષણે જે ભાવમન છે તેમાં બીજી ક્ષણે ભાવમન જુદું થઈ શકે છે. તેમાં નિમિત્ત કે પુરુષાર્થ પલટો લાવી શકે છે. માટે જ ચોવીસે કલાક એક સરખો કર્મબંધ નથી. આ બધી વાતો ભાવમનની ફલશ્રુતિ સાથે સંકળાયેલી છે. ભાવમન એ એકલા ખાલી વિચારો નથી. એ ખાલી વિચારાત્મક છે? ના, મનની સીમા વિશાળ છે. દુનિયાભરના ભાવો મનમાં સંઘરાયેલા છે. દુનિયાભરના ભાવો-પ્રતિભાવો તેમાં સંગ્રહરૂપે પડ્યા છે. જેમ અમેરિકામાં ફરવા લાયક સ્થળો છે. તેમાં એક સુંદર બગીચો છે. ત્યાં મોજમઝાની સામગ્રી છે. તેનો તમે અત્યારે વિચાર કરતા નથી, પણ તેના પ્રત્યેના કોઈક ભાવો કાં તો રાગ, કાં તો દ્રષ, કાં ઉપેક્ષારૂપ ભાવ મનમાં પડ્યો જ છે. પણ તમે એમ માનો છો કે તમે જેનો વિચાર કરો છો તેમાં જ મન પરોવાયેલું છે અને તે જ ખરું મન છે. પણ ના, આ તો તમારા મનની અધૂરી ઓળખાણ છે. જેમ કોમ્યુટરના પડદા પર એક સાથે એક ટાઇમ જેટલું દેખાય તેટલું જ તેમાં હોય છે? કે અંદર ઘણું જ સ્ટોરેજ હોય છે? તમારા મનમાં પણ તે રીતે સ્ટોરેજ ભરેલો છે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy