SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત જ્ઞાન આત્મામાં છે, તો તે વિજ્ઞાન નથી માનતું; પણ આ મનની શક્તિની વાત તો તે પણ માને છે. માનવમનની શક્તિની લોકોને કલ્પના જ નથી. દુનિયાના સારા, બુદ્ધિશાળી, સક્સેસફુલ કેરીઅર(સફળ કારકીર્દી) ધરાવનારા પણ પોતાના મનની શક્તિ ત્રણથી ચાર ટકા જ વાપરે છે. એનાથી વધારે તેનો ઉપયોગ થતો નથી, કારણ મોટા ભાગની શક્તિ સુષુપ્ત ધરબાયેલી પડી છે. જયારે સામાન્ય માણસ તો એક ટકો પણ તેનો ઉપયોગ કરતો નથી. હા, બાકી પોટેન્સી તરીકે(ભંડારાયેલી શક્તિ) છે, ક્ષમતા છે, પણ ઉપયોગ થતો નથી. તેને વિકસાવવા માટે પ્રક્રિયા કે પ્રવૃત્તિ કરતા નથી. એક સારા ન્યુરોસર્જને લખેલું કે મગજશક્તિને ખીલવવા માટે યોગની સાધના આવશ્યક છે. તેમણે અનેક પ્રયોગ કર્યા પછી તારણના આધારે લખ્યું કે નિષ્ક્રિય મગજના વિભાગોને યૌગિક પ્રયોગોથી જ સક્રિય કરી શકાય છે. તમારી મનોશક્તિને ખીલવવા માટે અંતિમ ઉપાય ધ્યાન છે. ક્ષપકશ્રેણી માંડવી હોય તેણે ધ્યાનનું શરણ લેવું પડે છે. તેનાથી જ શક્તિનો પૂર્ણ વિકાસ થાય છે. ધ્યાનનું નામ સાંભળીને પાછો કૂદકો નહિ મારતા. તે પહેલાં બધી નીચેની ભૂમિકામાંથી પસાર થવું પડે. ધર્મનું ક્ષેત્ર એવું નથી કે દૂધમાં મસાલો નાંખ્યો ને બધું બની જાય. અહીંયાં ક્રમસર પ્રક્રિયામાંથી પસાર થવું પડે. ધ્યાનમાં આવતાં પહેલાંચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા, આ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે. આ ત્રણનું જ્ઞાન ન હોય તો ધ્યાન કરી શકાય નહિ. સાધનાના અંતિમ શિખરો સર ધ્યાનથી થાય છે. એ ખીલવવા માટે આગળનાં સ્ટેપોને ખીલવવાં પડે. પહેલાં મનના સ્વરૂપને બધાં પાસાંથી ઓળખો, પછી તેનો સદુપયોગ કરો તો બધું પામી શકો. તમને પોતાની શક્તિનું ભાન નથી, પોતાનો આંતરિક પરિચય નથી, માટે જ બાઘાની જેમ જીવ ફરે છે. ધર્મ તો તમને પહેલાં તમારો પરિચય કરાવવા માગે છે, શક્તિઓ બતાવવા માગે છે; અને એ જાણવા માટે પહેલાં ભાવમનના સ્વરૂપનો વિચાર કરીશું. ભાવમન : દ્રવ્યમન એ વિચાર કરવાનું સાધન છે. આ સાધન દ્વારા અંતરઆત્મામાં પેદા થતા ભાવોના સમૂહને ભાવમન કહેવાય છે. જે કાનથી સાંભળો છો તે કાન સાધન છે, અને સાંભળ્યું કે વિચાર્યું તે જ્ઞાન છે. પણ તમે શબ્દ દ્વારા જે અર્થ સમજો છો, એ સમજણ કાનરૂપી સાધન દ્વારા મેળવી કહેવાય. તેમાં મનને વાપરીને જે ભાવો અંતરમાં પેદા કર્યા તે ભાવો ભાવમન કહેવાય છે. તેમ આંખ, નાક બધામાં આવશે. ૧૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy