________________
શક્તિ ન આવી શકે. અત્યારે તમને મળેલા મનમાં ચાર પ્રકારની શક્તિઓ છે. તે કઈ છે તે વિચારીએ. (૧) સંવેદનશક્તિ (૨) વિચારશક્તિ (૩) સમજણશક્તિ (૪) પરિવર્તનશક્તિ. મન આંતરિક અને બાહ્ય ભાવોનું સંવેદન કરે છે. અનુભૂતિ-અનુભવોમાં મન ફેલાયેલું રહે છે, તેમ વિચારશીલતા પણ તેનો ગુણ છે, અને આ બધાનું વર્ણન જ ભાવમનનું વર્ણન છે.
પહેલાં મનનું સ્વરૂપ, મન-આત્માનો સંબંધ, મનના પ્રકારો સમજીએ. મનના બે પ્રકારો છે. (૧) દ્રવ્યમન અને (૨) ભાવમન દ્રવ્યમન તે ઉપકરણ તરીકે સાધન છે. તે જડ પુદ્ગલની રચનારૂપ છે. તમને મળેલ દ્રવ્યમન એ પણ જબરદસ્ત શક્તિ છે. જો ભાવમનને ઓળખી શકીએ તો જીવનમાં જબરદસ્ત પરિવર્તન આપણે કરી શકીએ. જેને પણ અધ્યાત્મની સાધના કરવી છે તેણે ભાવમન પર વિજય મેળવ્યા વગર ઉદ્ધાર નથી. પૂ. આનંદઘનજીએ ગાયું છે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” મનની સાધનામાં જે સફળ થાય તે બીજી બધી સાધનામાં સફળ થાય જ. બુદ્ધિથી વિચાર કરીએ તો વાત બરાબર લાગે જ છે.
આપણે હવે ભાવમનને સમજવા માટે પહેલાં જોઇએ કે સંવેદનશક્તિ, વિચારશક્તિ, સમજણશક્તિ અને પરિવર્તનશક્તિ; આ ચાર શક્તિઓ ભાવમનની છે. તેનાથી આપણે ભાવમનની કાયાપલટ કરી શકીએ. મનુષ્યના મનમાં જેવી આ ચાર શક્તિઓ છે તેવી બીજાના મનમાં નથી. માનવભવનું મૂલ્યાંકન આના આધારે જ છે. જ્ઞાનીઓ પણ વખાણ આના કારણે જ કરે છે. હાડમાંસના કારણે કાંઇ આ ભવનો મહિમા ગવાયો નથી. માનવશરીરનું અંદરનું સ્વરૂપ તો વિકૃત છે. તેને સાચવવું તે એક ઉપાધિ છે. તેને સાથે રાખીને જીવવું તે મોટો ત્રાસ છે. દેવભવમાં શરીર સુંદર હોય છે. અનુકૂળતા-શાતા આપે, અશાતા ઓછી આપે તેવું હોય છે, પરંતુ અહીંયાંનો દેહ તો ત્રાસ આપે તેવો છે. આપણે તેનાથી મન મનાવ્યું છે, કોમ્પ્રોમાઇસ(સમાધાન) કર્યું છે, માટે જ સાથે રહી શકીએ છીએ.
જેમ કોઇના ઝાડા-પેશાબને હાથ અડાડવાનો આવે તો ફાવે? છતાં ચોવીસે કલાક ઝાડા-પેશાબને શરીરમાં અંદર રાખીને મજેથી રહો છો ને? ગંદકીનું ઉત્પત્તિસ્થાન પણ શરીર છે. વધારે ગંદકી માનવદેહમાં છે. જેમ ગાય કદાચ રસ્તામાં પોદળો મૂકે તો છી છી ના કરો, પણ જો મનુષ્ય ઝાડો કરે તો ? છતાં આવા શરીરને પંપાળો છો, અને તેની સાથે મઝથી રહો છો. આ બધી ગંદકી સાથે તમે સમાધાન કરી લીધું છે, માટે ને? કદાચ તમને ચામડીનું કવર સારું મળ્યું હોય પણ અંદર માલ કેવો ભર્યો છે ? માલમાં કાંઈ માલ છે ખરો? તે છતાં માનવભવનો જો મહિમા ગવાયો હોય તો, તેમાં આ ભાવમનની શક્તિ જ કારણ છે. આવું મન આ ભવમાં જ મળી શકે તેમ છે. તેમાં આગવી અપૂર્વ શક્તિઓ ધરબાયેલી છે. વિજ્ઞાન પણ આ વાત કરે છે. આપણે કહીએ કે અનંતશક્તિ, મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૩
* * * * *
* * * * * *
* * * ક ક સ
જ છે કે * * * * એક જ છે કે
એક જ છે કે જે સમજ
છે એક જે જ * * * * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org