________________
તા. ૧૬-૭-૯૫, રવિવાર
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવા આપણને મળેલા માનવભવને પૂર્ણ સાર્થક કરવાના અનુપમ સાધનરૂપ આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
મનની સાધનાથી માત્ર મનુષ્યભવમાં જ પરમાત્મા બનવાની શક્યતા ઃ
૮૪ લાખ જીવાયોનિમાં જેટલા ભવો છે તેમાં શ્રેષ્ઠ અને વિકસિત ભવ આ મનુષ્યભવ જ છે. બીજા ભવોની સાથે જો તુલના કરીએ તો ચોક્કસપણે કહેવું પડે કે અનંતશક્તિનો ધણી જીવ પરમાત્મા બને તો આ મનુષ્યભવમાં જ બની શકે તેમ છે.
અનંત કાળમાં જીવ પાંગળો અને પામર થઇને ૯૯% એકેન્દ્રિયમાં જ ફર્યો છે. ૮૪ લાખ જીવાયોનિમાં અત્યંત અવિકસિત ભવ આ છે. એકેન્દ્રિયમાં પણ નિગોદ વધારેમાં વધારે અવિકસિત ભવ છે અને આપણે સૌથી વધારે ટાઈમ ત્યાં જ કાઢ્યો છે. સમસ્ત જીવસૃષ્ટિનું અવલોકન કરીએ તો મનુષ્યના જીવોને મનની શક્તિ સૌથી વધારે મળે છે, સૃષ્ટિમાં મોટા ભાગના જીવો તો અશક્ત જ હોય છે.
વિચારો, આંખ કેટલાને મળી? એવરેજ કાઢીએ તો અનંતા સામે એક ટકો પણ આવે ખરો? કીડી, મંકોડા, ઝાડ, પાન બધાને આંખ, કાન, મન નથી. આ બધાનું કારણ શું? ઓછા જીવોને જ શક્તિ મળે છે. શક્તિ મળવાનું કારણ પુણ્ય છે અને પુણ્યથી જે શક્તિ મળી છે તેનો જો સદુપયોગ ન કરો તો અનંત જન્મ સુધી તે શક્તિ ફરી મળે નહિ. કુદરતમાં શક્તિ મળવી દુર્લભ છે અને શક્તિનો સદુપયોગ કરવો અતિ દુર્લભ છે. શક્તિનો સદુપયોગ ન કરે તો તેની પાસેથી કુદરત તે શક્તિ ઝૂંટવી લે છે. આ કુદરતનો સનાતન કાયદો છે. આ ભવમાં મળેલ શક્તિ કોઇકને જ ભવાંતરમાં પાછી મળે છે. આ બધી વાતોમાં શ્રદ્ધાની જરૂર નથી, તર્કથી અવલોકનથી સૃષ્ટિનો વિચાર કરો તો ગળે ઊતરી જાય તેવી વાત છે.
અપંગ જીવ સૃષ્ટિમાં વધારે છે. ઝાડપાનની સંખ્યા વધારે કે મનુષ્યની સંખ્યા વધારે? શું કીડી, મંકોડા, ઝાડપાનને વિકસિત નહોતું થવું? પાંચે ઈન્દ્રિયોની શક્તિ તો કોઇક ભવમાં જ મળે છે. આ શક્તિને પણ ટપી જાય તેવી શક્તિ મન છે. મનની શક્તિની સામે કોઇ ઇન્દ્રિયની
* * * * * * * * * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
૧ ૨
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org