SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ એક વ્યક્તિ જે સરળ સ્વભાવની છે પણ મનમાં માનતી હોય કે અવસરે તો થોડી લુચ્ચાઇ કરવી જ જોઇએ, અને જો કાયમ સરળ રહેવા જઇએ તો આપણને બધા ઠગી જ જાય; લુચ્ચાઇને પણ એક કળા માનતો હોય; આવું તેના મનમાં ઊંડે ઊંડે પણ પડ્યું હોય તો તે માણસના મનમાં લુચ્ચાઇને માટેનું સમર્થન છે; અને તેને એકાંતે દોષ માનતો નથી, પરંતુ લુચ્ચાઇને કર્તવ્ય માને છે. આને લીધે તેને સતત લુચ્ચાઇની અનુમોદનાનું પાપ લાગ્યા જ કરે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પણ મૂળથી જ (લબ્ધિમનમાં) જ્યારે પલ્ટો આવ્યો ત્યારે જ તેમની ગતિ બદલાઇ હતી. પરિવર્તન ત્યારે જ આવ્યું કહેવાય કે જ્યારે એક માણસ જે હિંસાને પહેલાં સારી માનતો હતો તે હવે હિંસાને આચરે તો પણ તેને સારી માનતો નથી. એવી જ રીતે ક્રોધ વગેરે કષાયોને કરે તો પણ સારા નથી જ માનતો, ત્યારે જ પાયામાંથી થોડું પણ પરિવર્તન આવ્યું કહેવાય. જીવન નિમિત્તને આધીન છે. આપણે વાતાવરણ કે સંજોગોથી ૫૨ નથી અને જે પણ નિમિત્તોથી પર થયા છે તે સમતામાં જ હોઇ શકે. તમને બધાને ખરાબ નિમિત્તોની અસર વધારે થાય છે અને સારાં નિમિત્તોની અસર ઓછી થાય છે. ધર્મ ત્રણ પ્રકારનો બતાવ્યો છે. (૧) સફળ સાધના, (૨) નિષ્ફળ સાધના અને (૩)વિપરીત સાધના. પહેલા દૃષ્ટાંતમાં શાલીભદ્રે દાન આપી ફળ મેળવ્યું તે સફળતા મધ્યમ છે, જીરણશેઠે સુપાત્રદાનનું ઉત્કૃષ્ટ ફળ મેળવ્યું. બીજા દૃષ્ટાંતમાં અભિનવશેઠનું દાન નિષ્ફળ ગયું, તેણે સુપાત્રદાનનું ફળ બિલકુલ ન મેળવ્યું અને ત્રીજા દૃષ્ટાંતમાં મમ્મણ શેઠ, જેમનું દાન વિપરીત થયું. જેવી વ્યક્તિ અને જેવા તેના મનના ભાવ તેના પર સુપાત્રદાનનું ફળ નિર્ભર છે. ધર્મ કરનારને તેની Quality પ્રમાણે ફળ મળે. ધર્મની સફળતા અને નિષ્ફળતાનો આધાર તમારી મનોવૃત્તિ છે. મનોવિજય અને આત્મશુદ્ધિ M-૨ Jain Education International For Private & Personal Use Only સામગ્ર ૧૧ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy