________________
છે કે, આવા બેવફાદાર મંત્રીને તો કડકમાં કડક સજા થવી જોઈએ. જો આટલું જ વિચાર્યું હોત તો છેક ત્યાં સુધી તેમનું પતન ન થયું હોત. પણ વિચારધારામાં આગળ વધીને તેમણે યુદ્ધના | વિચારો કર્યા. આમ, આ મહાત્મા અહિંસાના ભાવમાંથી હિંસાના ભાવમાં ઘસડાઈ ગયા અને તેટલાથી પણ વિરામન પામતાં હિંસાના પ્રોત્સાહક ગાઢ મિથ્યાત્વના વમળમાં ધસમસતી ગતિ કરી. એટલે ફક્ત વૈચારિક રીતે જ મન પરિવર્તન નથી પામ્યું અને એટલા માત્રથી જ અધ:પતન થઇને નરકગતિ ન બંધાત, પણ તેમને તો ત્યારે અહિંસા પ્રત્યે જ વૈષ આવ્યો હતો. તેઓએ વિચાર્યું કે “જો હું જીવતો હોવા છતાં મારો દીકરો રસ્તામાં રખડતો થઇ જાય, તો મારા આવા ચારિત્રની પણ શું કિંમત છે?” ધર્મ, ચારિત્ર, તપ, ત્યાગ અને સમકિત પણ તેમનું આ પરિણામોથી ચાલી ગયું અને તેની જગ્યાએ ગાઢ મિથ્યાત્વ આવ્યું. પ્રકૃતિ, વૃત્તિ અને અધ્યવસાય એટલે કે ભાવમન આખું ધરમૂળથી બદલાઇ ગયું છે. આ કારણે જ તેમણે તે ક્ષણે સાતમી નરકને યોગ્ય કણિયાં બાંધી દીધાં.
સારા કે ખરાબ વિચાર માત્રથી ભારે કર્મબંધ નથી થતો, પરંતુ કર્મબંધમાં મોટો તફાવત તો તમારી પ્રકૃતિમાં પરિવર્તન આવે ત્યારે જ પડે છે. સમ્યગ્દષ્ટિ આત્મા યુદ્ધના વિચારોના આવેશથી યુદ્ધ પણ લડતો હોવા છતાં, લબ્ધિમનની શુદ્ધિ હોવાથી અંદરના અધ્યવસાય ત્યારે પણ સદ્ગતિ પ્રાયોગ્ય જ હોય છે. મનનો અભ્યાસ સપાટીથી નહિ પણ તળિયેથી કરવો જરૂરી છે. જૈનેતરોમાં મહર્ષિ પતંજલિએ પણ ઊંડાણથી મનની વાતો કરી છે. તેમનાં યોગનાં સૂત્રો ૪૦૦૦ વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં ગુંજી રહ્યાં છે. તે છતાં પણ જૈનશાસ્ત્રની તુલનાએ તેમની મનનાં પાસાં સમજાવવાની કડી સપાટીએ જ લાગે છે.
તમે દેરાસરમાં પ્રવેશતાં “નિસહિ નિસાહિ” બોલો છો, તેનો અર્થ સમજો છો? એમ જ વિચારો છો ને કે “અંદર સંસારનો કોઇ જ વિચાર નહિ કરું.” પરંતુ સંસારનો વિચાર નહિ કરો તેટલા માત્રથી નિસાહિ સાચું નથી. સમજયા? પહેલાં તો શ્રદ્ધા એટલે ચાંદલો કરવાનો આવે છે અને ભગવાનની આજ્ઞા માનવાની છે. આ આજ્ઞા માનવી, એટલે સંસાર છોડવા જેવો જ છે, એવો ભાવ મનમાં હોવો જ જોઈએ. આ ભાવ મનમાં આવે ત્યારે જ નિસાહિ સાચી બોલ્યા કહેવાઇએ. ભગવાનની આજ્ઞા માનતો હોય તે ગમે ત્યાં જાય પણ તેને તે નિમિત્તનું પુણ્ય બંધાય જ. જીવનમાં અમુક હિંસા તો કર્તવ્ય જ, એવી થોડી પણ ઊંડે ઊંડે માન્યતા હોય તો પાપ લાગ્યા જ કરે છે. પ્રકૃતિ અને વિચાર કરતાં પણ તમે અંદરથી શું માનો છો તે જ અગત્યનું છે. “ભગવાને જે કહ્યું છે તે જ સત્ય છે અને એને હું માનું છું તે જ ચાંદલા દ્વારા તેમની આજ્ઞાનો સ્વીકાર છે. જો તમારી માન્યતા અશુદ્ધ હોય તો તમે ભગવાનની વાત મનથી માનતા નથી એવું જ કહેવાય.
૧૦
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org