________________
મોક્ષમાર્ગની છે, અને જેને આ નથી તે મોક્ષમાર્ગની બહાર છે. માટે આ અપૂર્વ આલોચન અદ્ભુત ગુણ છે.
આપણે કાંઇ ગયા ભવથી સમિકત લઇને આવ્યા નથી. તેથી જન્મ્યા ત્યારે કાંઇ ધર્મની ગતાગમ પણ નહોતી. આપણો જીવનનો આખો પૂર્વાર્ધ અવિવેકી હતો, તત્ત્વનો બોધ કે વિશેષ સમજણ નહોતી; પરંતુ હવે જો પામીએ તો ભૂતકાળ જોઇને થાય કે ભૂતકાળમાં કેટલી અજ્ઞાનતા હતી, અને જેમાં મેં સુખ માન્યું હતું તે મારી ભ્રમણાત્મક અનુભૂતિના ખ્યાલો હતા. આવો તમને અપૂર્વ આલોચનનો અનુભવ થાય છે ખરો ?
સભા :- ક્રિયા કરતાં કઇ રીતે આનંદ આવે ?
સાહેબજી :- ક્રિયામાં રસ હોય તો તે ક્રિયા કરતાં આનંદ આવે. અંબાજીના મેળામાં લોકો ઉઘાડા પગે નાચતા-કૂદતા જતા હોય છે, ત્યારે ત્યાં હર્ષ સમાતો નથી હોતો. પહેલાં શું આપણે કોઇ ધર્મક્રિયા નહોતી કરી ? ઘણી ક્રિયાઓ કરી હતી. અત્યારે દુનિયામાં ધર્મના નામથી આભાસિક ક્રિયાઓ કેટલા કરતા હોય છે ! પણ તેમાં ઢંગધડા નથી હોતા. ઇતર ધર્મમાં બાર મહિને હજાર, પાંચ હજાર જેટલા મેળા ભરાતા હોય છે. લોકોને જુઓ તો કઇ રીતે ત્યાં ઊમટતા હોય છે ! કેટલા તપ-ત્યાગપૂર્વક મેળામાં જતા હોય છે ! જમીન માપતા માપતા જતા હોય છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા, ભૂમિને સ્પર્શ કરતા કરતા મંદિર સુધી પહોંચતા હોય છે. પાછા આ બધું શ્રદ્ધાથી કરતા હોય છે. જે આટલો ભોગ આપીને પછી મંદિરે પહોંચે, ત્યારે દર્શન કરતાં તેને કેટલો આનંદ હોય ! જેમ હજ પઢીને આવે પછી પણ જિંદગીભર યાદ કરતા હોય છે અને રાજી થઇને આનંદ પામતા હોય છે. તેમને ત્યાં મક્કામાં શેતાનના પ્રતીક તરીકે થાંભલા હોય છે. તેને પથ્થર મારતા જાય અને કહે અમે મહાન ક્રિયા કરી અને પથરો જો ફેઇલ જાય તો કહે યાત્રા નિષ્ફળ થઇ. આમાં કેટલો આનંદ ! પણ બધો વિવેક વગરનો આનંદ, માટે શું કામનો ?
તેમ પાલીતાણા જાત્રા કરવા જનાર શ્રદ્ધાળુ હોય છે. તેમને જાત્રા કરતાં હર્ષ સમાતો ન હોય. દર્શન કરતાં નાચતા હોય. ભક્તિ યથાશક્તિ ઉલ્લાસથી કરતા હોય, પણ પાછા સંસારમાં પહોંચે ત્યાં પાપપ્રવૃત્તિમાં તેઓ લીલાલહેર કરનારા હોય છે. એટલે ધર્મ કરે ત્યારે ધર્મમાં અને સંસારમાં જાય ત્યારે સંસાર જેવા.
સભા ઃ- આ અનનુષ્ઠાન કહેવાય ?
સાહેબજી :- આ અનનુષ્ઠાન કહેવાય. સારું કામ કર્યું એટલે જીવનમાં કાંઇ સારું થયું ?
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
૧૬૯
www.jainelibrary.org