________________
૨૫ લાખ કમાયા તેમાંથી પાંચનું દાન કરે એટલે જીવન સફળ બની ગયું? દિકરાને પાંચ આપો ને તેમાંથી પચ્ચીસ કમાય તો તેનું જીવન સાર્થક?
ઘણાને સારાં કામ પણ કરવાં છે અને સંસારમાં મોજમજા પણ કરવી છે, સત્કાર્યો કરવાં છે, દાન-ભક્તિ-ધર્મ-આરાધના-તપ-ત્યાગ કરવા સાથે સંસારની મોજમજા પણ મોજથી કરવી છે. પાપનાં કાર્યો કરે અને કહે મજા આવે છે. આ આખો સંસાર પાપમય છે, જે છોડવા જેવો છે, તેવું માનનાર બહુ જ થોડો વર્ગ છે. આવા વૈરાગ્યવાળા જીવો કેટલા? એકલા પુણ્યબંધથી તર્યાનો એકપણ દાખલો નથી. મોક્ષે જવા માટે સકામ નિર્જરા સિવાય વિકલ્પ નથી અને તેનું પ્રારંભિક સાધન વૈરાગ્ય જ છે.
આવા જીવોમાં ઉલ્લાસ ગમે તેટલો હોય પણ તેનું અધ્યાત્મદષ્ટિએ ફળ નથી. દા.ત. કોઈ વ્યક્તિ ખૂબ જ ભક્તિવાળી હોય, પ્રભુ દર્શન કરતાં રડી પડતી હોય, પ્રસંગ આવે દાન કરે ત્યારે તેને મનમાં સંતોષ થાય કે મેં સારું સત્કાર્ય કર્યું, આવા અવસરે ઉલ્લાસ પણ હોય; પણ જો બીજી બાજુ તેને સંસારની અસારતાનું ભાન ન હોય, શુદ્ધ આત્મભાવોનું-તત્ત્વનું સંવેદન ન હોય, તો તેની ચિત્તશુદ્ધિ તાત્વિક ધર્મ નથી, કેમકે તેને આત્મશુદ્ધિ જ નથી.
સભા:- દાન આપતાં ઉદારતા ગુણ તો ખરો ને?
સાહેબજી હા, તેને ઘણા ગુણો ખીલેલા હોય, માટે જ આવા ઉલ્લાસ સાથે દાન કરતા હોય છે. પણ જો સાથે સંસારની મોજમજા જગમતી હોય, તેને જ સારી માનતો હોય તો તેની ચિત્તશુદ્ધિ જ છે, આત્મશુદ્ધિ નથી.
ક્રિયા કરતાં કદાચ નાની નાની ખામીઓ હોય, પણ તેવી ક્રિયા કરતાં અંદરમાં જો મોક્ષસાધક ભાવ હોય કે આત્માનુસંધાનપૂર્વકની તેની ક્રિયા હોય, તો તેને શાસ્ત્રમાં પ્રધાન દ્રવ્યક્રિયા કહી છે. અભવ્યની અપ્રધાન દ્રવ્યક્રિયાઓ હોય છે. તે લાખનાર કે કરોડવાર કરે તો પણ તે ક્રિયાઓ વાયા વાયા પણ આત્મકલ્યાણનું સાધન બનતી નથી, જ્યારે પ્રધાન દ્રક્રિયા વાયા વાયા પણ આત્મકલ્યાણનું સાધન બને છે.
સભા - તત્ત્વસંવેદનમાં શું કરવાનું?
સાહેબજી :- આંતરિક જાગૃતિ કરવાની છે. અંદરમાં જે ભાવો છે તેનું જ સંવેદન કરી વિશ્લેષણ કરવાનું છે. જે ભાવ જેવો છે તેની તેવી જ અનુભૂતિ થવી તેનું નામ તત્ત્વસંવેદન. અત્યારે બાહ્ય પદાર્થોનો ખૂબ જ વિચાર કરો છો. કપડું ફાટી જાય, તૂટી જાય તો અફસોસ થાય છે, ચામડી પર ઉઝરડો પડે તો વેદના પણ થાય છે, પણ અંદરના ભાવોમાં શું ઘમસાણ ચાલે ૧૭૦
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org