________________
છે તેનો જ તમે અનુભવ કરો છો, લાગણીઓ સિવાય કાંઈ બાહ્ય જગતનો તમે સીધો અનુભવ કરતા નથી. ટૂંકમાં તમારા મનના ભાવોનો અનુભવ તે જ તમારું સુખદુઃખ છે. કોઈ માણસને ધંધામાં લાખ રૂપિયાનું નુકસાન થાય પણ તે વખતે તે બહારગામ હોય અને તેને ખબર ન પડે તો તેનો શોક થાય ખરો? ના, કારણ તે જાણતો નથી, અને જાણ્યા પછી પણ જો નિઃસ્પૃહી હોય તો તેને દુઃખ ન થાય, એટલે જાણ્યા પછી અંદરમાં જો આઘાતની લાગણી થાય તો જ તેને દુઃખ થાય. માટે દુઃખ અપાવનાર શોકની લાગણી છે, નુકસાન નહિ. જેમ એક વેપારીને ખોટા સમાચાર મળ્યા કે તેને અમુક સોદામાં દસ લાખનું નુકસાન થયું છે, તો તેને આઘાત લાગવાથી ખૂબ જ દુઃખ થાય. વાસ્તવમાં તેને નુકસાન થયું નથી પણ સમાચાર ખોટા મળવાથી શોકની લાગણી થઇ માટે દુઃખ થયું; તેથી સુખદુઃખનો આધાર લાગણી છે. તમે તમારા જીવનમાં પણ સ્ટડી-અભ્યાસ કરજો કે આજ દિવસ સુધી સુખદુઃખ ક્યાંથી આવ્યું છે? કોઇ જીવ એવો નથી કે જે પોતાના આંતરિક ભાવોથી સુખદુઃખને ન પામ્યો હોય. તેથી જ જો હું મારા મનને કાબૂમાં લઈ શકું તો મારું સુખ મારી પોતાની માલિકીનું છે, પરને આધીન નથી. પણ અત્યારે તો તમારાં ગણિત જુદાં છે. તમારું ધ્યાન ભોગપ્રવૃત્તિ ને ભોગ્યવસ્તુ પર જ છે. આ મળશે તો સુખ, આ નહિ મળે તો દુઃખ પણ જો દૃષ્ટિ બદલાય તો, મારા કેવા ભાવથી મને સુખનો અનુભવ થાય છે, અને કેવા ભાવથી દુઃખનો અનુભવ થાય છે, તેના અવલોકનનો પ્રયત્ન થશે. જીવમાત્ર માટે અનુભૂતિ કે સુખદુઃખની આધારશિલા તો આંતરિક ભાવો જ છે. આ વસ્તુ જેને બેસશે તેને તત્ત્વસંવેદન સમજાશે. આ બધી વાતો ‘જ કાર સાથે જ છે. તમે જેને પણ સુખદુઃખ માન્યું હોય, તે તમામની ઉપલબ્ધિ તમારા ભાવથી જ છે. કષાયોની મમતા છોડવી પછી વાત છે, પહેલાં તમને બેસી જવું જોઇએ કે મારા ભાવો જ મને સુખદુઃખ આપે છે. અનંત કાળથી આત્મશુદ્ધિ નથી થઈ, કારણ કષાયો છોડ્યા પણ તત્ત્વનું સંવેદન થયું નહિ. જેને તત્ત્વનું સંવેદન થયું તેની તો અધ્યાત્મની દુનિયા ખુલી ગઈ. તમારા જીવનમાં તત્ત્વસંવેદન આવે તો આખી અનુભૂતિ પલટાઈ જાય. પછી તો તેને લાગે કે મેં જે વિચાર્યું હતું કે સમજયો હતો કે જાણ્યું હતું, તે બધું નકામું હતું. પછી તો જેમ તમારી બુદ્ધિ કરતાં ઓછી બુદ્ધિવાળા પર તમને હસવું આવે તેમ પોતાની ભૂલ પર હસવું આવે કે આવું નક્કર સત્ય પણ મને આજ દિવસ સુધી સમજાયું નહિ? હું કેટલો બેવકૂફ હતો? - તત્ત્વથી પહેલું ગુણસ્થાનક મોક્ષમાર્ગની સાચી ક્રિયા કરનાર માટે છે. તેનું લિંગ અપૂર્વ આલોચન છે. તેવો જીવ કોઈ પણ ક્રિયા કરે, સૂત્ર બોલે, પ્રતિક્રમણ કરે, પૂજા કરે, ધર્મની કોઇ પણ પ્રવૃત્તિ કરે ત્યારે અપૂર્વ આલોચન ગુણ હોય. તેનો અર્થ કે પૂર્વે કદી પણ અનુભવ્યું ન હોય, વિચાર્યું ન હોય તેવું તેને હવે સ્ફરવા લાગ્યું છે. તેની આ બધી ક્રિયા મોક્ષસાધક છે,
* *
* *
* * *
* * * *
* *
* * *
* *
* *
* * *
* * * * * *
* * *
* * * *
* * * * *
* * * *
*
* * * * ૧૬૮
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org