________________
મગજની સક્રિયતા ઓછી થઇ જવાથી પરિસ્થિતિનું જ્ઞાન થતું નથી. આ દાખલો બહુ જ વિચારવા જેવો છે.
અત્યારે તો તમે માનો છો કે વસ્તુ હોય અને તેને ભોગવીએ તો જ સુખ અને તો જ આનંદ મળે, પણ તે તદ્દન ખોટી વાત છે. કેમ કે સંસારની દરેક મોજમજાની પ્રવૃત્તિમાં ભાગ્ય વસ્તુ હાજર હોય તેવું જરૂરી નથી. જેમ છોકરાઓ નોવેલ આખી રાત વાંચતા હોય છે, તેમાં એકે ઇન્દ્રિયનો ભોગવટો થાય તેવું નથી; નોવેલમાંથી કાંઈ કાનને ગમે તેવું સુમધુર સંગીત રેલાતું નથી, જીભને કોઈ સ્વાદ મળતો નથી, પેટ પણ ભરાતું નથી, નાકને કોઇ સુગંધનો મઘમઘાટ નથી, આંખ તો કાબરચીતરા અક્ષરો વાંચીને ઊલટી થાકી જાય છે; છતાં પણ એકરસ થઇને એક રાતમાં પૂરી કરતા હોય છે. મોટા ભાગના શોખ આવા જ હોય છે. રમવાના શોખીનો પણ સવાર પડતાં રમવા ઊપડી જતા હોય છે. ઘણાને મેચ જોવાનો શોખ હોય છે, તેમાં આઠ કલાક પસાર થઇ જાય તો પણ તેમને ખબર પડતી નથી.
સભા:- તેમાં મનનો આનંદ મળે છે.
સાહેબજી - મનનો આનંદ શેના કારણે મળે છે? જોતી વખતે હર્ષના-શોકના ભાવો થાય છે, તેનાથી સુખદુઃખના અનુભવ થાય છે. ત્યાં કાંઈ ઈન્દ્રિયની ભોગ્ય વસ્તુ નથી, છતાં સુખદુઃખનો અનુભવ થાય છે. ઊલટું રમતી વખતે શરીરને શ્રમ પડતો હોય છે, કાંઈ શરીરને આરામ કે મજા નથી, શરીરને તો માત્ર થાક જ છે.
સભા:- શ્રમમાં આનંદ મળે છે.
સાહેબજી:- જો તમે શ્રમમાં આનંદ માનતા હો તો પછી કરાવીએ તમને ઊઠબેસ. કોઈને શ્રમમાં આનંદ આવતો નથી. માટે ખાલી ગપ્પાં ન મારો. વૈભવ-આધુનિક સુખસગવડનાં સાધનોએ ઊલટું તમારા જીવનમાં શ્રમ ઓછો કર્યો છે. શ્રમ નહોતો ગમતો માટે જ આ સાધનોમાં સુખ-સગવડ લાગે છે. બેઠાં બેઠાં જો મનગમતું હાજર થતું હોય તો હાથ પણ તમે હલાવો તેમ નથી. હકીકતમાં શ્રમ દુઃખ જ છે. સ્વાદિષ્ટ વાનગી ચાવવી પડે છે તે પણ દુઃખ જ છે. પરંતુ રમવામાં માનસિક આનંદ મળે છે, હરવા-ફરવા, ખાવા-પીવા બધામાં શ્રમ છે, પણ માનસિક આનંદ મળતો હોવાથી ગમે છે. ભૌતિક જગતમાં પણ સુખના નામે ૯૦% માનસિક આનંદ જ મેળવતા હોય છે.
રમતી વખતે પણ મનમાં શું ભાવ હોય છે કે હું હાર્યો કે જીત્યો. જીત્યો તેનો રસ છે, અહંકાર છે, મમતા છે. મારી ટીમ જીતી, આપણા દેશની ટીમ જીતી, ત્યાં તેનું મમત્વ છે.
* * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * * * * * એક જ કે
મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org