________________
બીજા દેશવાળા પારકા છે માટે તેઓ હાર્યા તેનો આનંદ છે અને આપણે જીત્યા તેનો આનંદ છે. મનમાં મારા-તારાના કાલ્પનિક ભાવો અને તેનાથી પેદા થતા હર્ષ-શોકના આવેગો સિવાય વાસ્તવમાં કાંઇ તથ્ય નથી. માત્ર રમતમાં રમનારને શ્રમ નફામાં અને સાથે સાથે રમનાર અને જોનાર બંનેના સમય-શક્તિનો બગાડ છે. જીવનમાં ચોવીસે કલાક અનુકૂળ ભોગ્ય વસ્તુથી જ આનંદ મળે તેવું નથી, પણ અનેકવાર માનસિક ભાવોથી જ હર્ષ-શોકની લાગણી પેદા કરીને સુખદુઃખનો અનુભવ કરો છો. મનમાં જે વખતે જેવો ભાવ થાય તેવો અનુભવ થાય છે. ભાવ તેવી જ અનુભૂતિ થાય છે. દરેક વ્યક્તિ પોતપોતાની ભાવાત્મક દુનિયામાં જીવે છે. તમારા મનના આંતરિક ભાવ તે તમારી દુનિયા, મારા મનના આંતરિક ભાવ તે મારી દુનિયા. દરેક વ્યક્તિ પોતાના ભાવોનો કર્તા છે, ભોક્તા છે. તમારો આત્મા ધારે તેવા ભાવો કરી શકે છે અને તેની અનુભૂતિ તમે કરી શકો છો. આ આંતરિક ભાવોની અનુભૂતિ તે જ તમારાં સુખદુઃખ છે, બાહ્ય વસ્તુ તો નિમિત્ત છે, અનિવાર્ય નથી.
સભા - ઊંઘમાં પણ અનુભૂતિ હોય છે?
સાહેબજી - જેવા ભાવ હોય તેવી અનુભૂતિ થાય છે. સૂતાં પણ જો કોઈ અચાનક અવાજ કરે તો ગભરાઇ જાઓ ને? માટે ઊંઘમાં પણ ભયની લાગણીનો અનુભવ ચાલુ છે. તમારા ઘરમાં કે ધંધામાં કોઈ ટેન્શન આવી જાય, તો તે વખતે જે શોક કે આઘાતની ઘેરી લાગણી થાય છે, તેની તમને ઊંઘમાં પણ અસર રહે છે. આવા ટેન્શન કાળમાં ઊંઘમાં જે આરામ મળે અને ટેન્શન ફ્રી હો ત્યારે ઊંઘમાં જે આરામ મળે, તેમાં ફેર પડવાનો જ. તમારી ઇચ્છા મુજબ કેટલીય બાબતો થતી નથી, તેનો અફસોસ મનમાં સંઘરાયેલો હોય જ છે. તેમ તમારી જે જે ઇચ્છાઓ સંતોષાય તેનો આનંદ પણ મનમાં પડ્યો જ હોય છે; અને જયારે આ બધા ભાવો સદંતર વિલીન થાય છે, ત્યારે જ સમતા આવે છે. અત્યારે આવી અંતર્નિહિત વૃત્તિ, ભાવો, રાગ-દ્વેષ બધાની અસર ઉપયોગમન પર છે. માટે એક ક્ષણ પણ તમારું મન આવી અસરોથી મુક્ત નથી. મનમાં હજારો પ્રકારના રાગ-દ્વેષ ધરબાયેલા પડ્યા છે.
સભા - રાગ-દ્વેષ પરસ્પર વિરોધી છે, તો એક જ વસ્તુ માટે કઈ રીતે સાથે રહે?
સાહેબજી:- એક વ્યક્તિ પ્રત્યે રાગ છે તે જ વ્યક્તિ પ્રત્યે દ્વેષ પણ છે. એક વસ્તુથી હર્ષ પણ થાય છે અને તે જ વસ્તુથી શોક પણ થાય છે. જુદા જુદા વિષય પર રાગ-દ્વેષ તો એકસાથે હોય છે, પણ એક જ વસ્તુ પર પણ જુદા જુદા સમયે રાગ-દ્વેષ હોય છે. જેમ તમે એક નવો ડ્રેસ લાવ્યા. લાવ્યા ત્યારે ગમતો હતો, માટે રાગ હતો. તેથી પહેરીને હરતા ફરતા હતા. પણ એ જડેસ જૂનો થયો એટલે રાગ ઓસરવા માંડ્યો અને દ્વેષ ચાલુ થયો. પછી બીજો લાવ્યા, ત્રીજો
૧૬૬
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org