________________
આત્મશુદ્ધિને પામ્યા નથી, ભલે તે ચિત્તશુદ્ધિને પામ્યા હોય તાત્વિક ધર્મ મોક્ષમાર્ગની ભૂમિકાવાળો છે.
સભા:- તત્ત્વસંવેદન કયા અર્થમાં લેવાનું?
સાહેબજી :- અહીં તત્ત્વસંવેદન જ્ઞાનની વાત લેવાની નથી, પણ તત્ત્વની અનુભૂતિ લેવાની છે. સંવેદન એટલે અનુભૂતિ સમજવાનું છે. દેખાતું બાહ્ય જડ જગત લેવાનું નથી પણ આંતરિક ભાવોનું જગત લેવાનું છે. તેમાં ચેતન શ્રેષ્ઠ તત્ત્વ છે. માટે તત્ત્વથી આપણા આત્માનો આંતરિક ભાવ; તેનું સંવેદન લેવાનું છે. જીવમાત્ર ચેતન છે જડનથી. તેનામાં રહેલી સંવેદનાઅનુભૂતિ તે જ ચેતનની વિશેષતા છે. જડ પુદ્ગલ તો અનુભૂતિશૂન્ય છે. તેથી અનુભૂતિ તે ચેતનનો જ ગુણ છે. સાથે ખૂબી એ છે કે દરેક વ્યક્તિ ચોવીસે કલાક પોતાના ભાવોની અનુભૂતિ કરે છે. આ દુનિયામાં સંવેદનાશૂન્ય કોઇ જીવ નથી. તેના વગરના જીવને આત્મા કહેવાય નહિ. આ સંવેદના એ ચેતનનું અપ્રતિમ લક્ષણ છે. તમે સવારથી ઊઠો અને રાતે સૂઓ ત્યાં સુધી, અરે ઊંઘમાં પણ, તમારી સંવેદના ક્યાંક ને ક્યાંક પરોવાયેલી હોય છે.
જેમ કે તમે ખાતાં-પીતાં ખાદ્ય વસ્તુનો અનુભવ કરો છો, જુઓ ત્યારે દશ્યોનો ઇન્દ્રિય દ્વારા અનુભવ કરો છો, અત્યારે આ દેખાતા બાહ્ય જગતના ભોગવટાનો અનુભવ કરાય છે અને તેમાં જ સુખદુઃખ માણો છો. માટે જ મનમાં માન્યતા છે કે પુગલના ભોગવટાથી સુખદુઃખનો અનુભવ થાય છે. પણ આ તો ગૌણ વસ્તુ છે. ચેતન તત્ત્વ સીધો જડનો અનુભવ કરી શકતું નથી. પણ તે તો જડના નિમિત્તે તેના આત્મામાં થતા આંતરિક ભાવોનો જ અનુભવ કરે છે. બાકી પુદ્ગલના ભોગવટાથી લોકમાં કહેવાતું સુખદુઃખ બધું ગૌણ અને ઔપચારિક વાતો છે. વાસ્તવમાં તમે આંતરિક ભાવોની સંવેદનામાં સુખદુઃખ માણો છો.
એક માણસ મોજ કરે છે, તેને જે તૃપ્તિનું જ્ઞાન થાય છે, તેનો તે અનુભવ કરે છે. જે ભોજનની તૃપ્તિમાં સુખનો અનુભવ કરે છે, તે તેના તૃપ્તિના જ્ઞાનનો જ અનુભવ કરે છે. એટલે જયારે બેભાન માણસને નળીથી પ્રવાહી નાંખો તો તેને તૃપ્તિનો અનુભવ થતો નથી. તેને ખરાબનો બેસ્વાદ કે સારાનો સ્વાદ આવતો નથી, ખાલી પેટ ભરાય છે.
સભા:- તેને અનુભવ થતો નથી પણ ખબર તો પડે ને?
સાહેબજી - જો તેને ખબર પડતી હોય તો ભાનમાં આવે ત્યારે કહે ને? પણ તે તો કહે છે મને કશી જ ખબર નથી. તમે કઈ વસ્તુ ખવડાવી તેની તેને કાંઈ જ ખબર નથી, જયુસ પીવડાવ્યો કે કરિયાતું પીવડાવ્યું તેની કશી જ ખબર નથી, કારણ તેને અનુભૂતિ નથી, કારણ
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬૪
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org