________________
તા. ૧૫-૧૦-૫, રવિવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રના આત્માના તમા દોષોના નિવારણ માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે.
ધર્મતીર્થનું લક્ષ્ય આપણા આત્મામાં રહેલા દોષોનું પરિપૂર્ણ રીતે નિવારણ કરી આત્માને સર્વગુણસંપન્ન બનાવવો તે જ છે. આ શાસનની છાયામાં જે જીવ આવે છે, તે જો આ શાસનનો ઉપદેશ આરપાર પામી જાય, તો તે જીવને સંકલ્પ બંધાઇ જાય કે મારે મારા તમામ દોષોનું નિવારણ કરી શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવો છે. અંતે પૂર્ણ સુખ આત્માએ મેળવવાનું છે. આ સુખ મળ્યા વગર આખી દુનિયાની તમામ સંપત્તિ પણ જો મળી જાય તો તે અધૂરી છે, અને આ પૂર્ણ સુખ તો શુદ્ધ આત્માની ઉપલબ્ધિમાં જ સમાયેલું છે. તેથી સાધકે આત્મશુદ્ધિ કેળવવી અનિવાર્ય છે. આ કારણે જ ચિત્તશુદ્ધિ કરતાં આત્મશુદ્ધિનો મહિમા અનંત ગણો છે. તેમાં બધા દોષોનું મૂળથી સંશોધન છે.
ખાલી દોષોનું સપ્રેશન થાય-દબાય કે મંદતા થાય તેટલા માત્રથી આત્મશુદ્ધિ થતી નથી, પણ આત્મામાંથી દોષોનું ઉન્મેલન થવું જોઈએ. આપણા આત્માના દોષો અનંતીવાર દબાયા છે, શાંત થયા છે, પણ તે વાસ્તવમાં શુદ્ધિ નથી. દોષોનું મૂળ કર્મમાં છે, કર્મનું મૂળ મોહમાં છે, મોહનું મૂળ ગ્રંથિમાં છે, ગ્રંથિનું મૂળ સહજાગ છે અને સહજ રાગનું મૂળ સંસારનો રસ અને કદાગ્રહ છે.
પહેલા ગુણસ્થાનકમાં તત્ત્વસંવેદના અને અપૂર્વઆલોચનઃ
જયાં સુધી દોષોમાં જ સર્વથા સુખનું સંવેદન છે, ત્યાં સુધી એક પણ દોષ મૂળમાંથી જવાનો નથી, પરંતુ દોષમાં થોડો પણ દુઃખાનુભવ થશે ત્યારે જ તેની સામે સાચો સંઘર્ષ મંડાશે. જયાં સુધી તમારી નબળાઈ તમને સારી લાગશે ત્યાં સુધી તેને દૂર કરવાના પ્રયત્નમાં ભલીવાર આવશે નહિ. પરંતુ અંદરમાં ફિલીંગ(સંવેદન) થાય કે આ દોષોની નબળાઈ જ અનેક સંતાપનું મૂળ છે, તો જ સાચી દિશામાં પ્રયત્ન થશે. જે જીવને થોડું ઘણું પણ આત્માનું તત્ત્વસંવેદન પ્રગટ્યું હશે, તે જ જીવ આત્મશુદ્ધિના અધિકારવાળો કહેવાશે; જ્યારે બીજા
મનોવિજય અને આત્મશુદ્ધિ
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org