SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સભા:- એકલા જ્ઞાનનો જ કેમ? તો અનંત આનંદ કઈ રીતે? સાહેબજી:- અત્યારે જ્ઞાનનો વિષય ચાલે છે, માટે જ્ઞાન-અજ્ઞાન પર બોલીએ છીએ. વળી, સિદ્ધ પરમાત્માનું નિર્મળ જ્ઞાન પણ અનંત છે. એટલે જ્ઞાનની અપેક્ષાએ પણ અનંત આનંદ ઘટી શકે. આત્માની અંદર આનંદ તો અનેક રીતે અનંતો છે. અનંત આનંદ કેમ? કારણ જેટલા ગુણો છે તે બધા મૂળથી તો આત્માને આનંદની અનુભૂતિ કરાવનારા જ છે. માટે અંદર અનંત ગુણોનો અનંત આનંદ છે. ઉપરાંત અનુભૂતિ માત્ર જ્ઞાનસ્વરૂપ જ છે. એટલે તે અપેક્ષાએ સર્વગુણોની અનુભૂતિ દ્વારા પ્રાપ્ત થતો આનંદ અલ્ટીમેટલી જ્ઞાનનો જ આનંદ છે, તેમ પણ કહી શકાય. પૂ. દેવચંદ્રજીએ શ્રી સુપાર્શ્વનાથ જિનના સ્તવનમાં ગાયું છે ને કે “આપ પ્રભુ કેવા છો?” પહેલી કડીમાં તેમણે પ્રભુના અનંતા ગુણો બતાવ્યા છે, “ગુણ અનંતનો કંદ” પછી આગળ કહે છે, “એમ અનંત ગુણનો ધણી, ગુણ ગુણનો આનંદ હો જીનજી; ભોગ રમણ આસ્વાદયુત, પ્રભુ તુ પરમાનંદ હો જનજી.” “આત્મામાં જેટલા ગુણો છે તે બધાનો આનંદ છે. તેથી ગુણના આનંદનો તો ગુણાકાર છે. માટે તું પ્રભુ પરમાનંદ સ્વરૂપ છે.' જયારે આપણા આત્મામાં થોડું જ્ઞાન છે, થોડું સત્ત્વ, થોડી નિર્ભયતા પણ છે. હવે જેટલી નિર્ભયતા છે તેટલું સુખ છે. બાકી ભયનું દુ:ખ છે. અહીં નિર્ભયતાનું જે સુખ મળ્યું તે એક પ્રકારનો આનંદ છે. તેમ જેટલી સ્વતંત્રતા છે તેટલું સુખ છે, જેટલી પરાધીનતા છે તેટલું દુઃખ છે. જ્યારે મોક્ષમાં પૂર્ણ સ્વતંત્રતા છે, પૂર્ણ નિર્ભયતા છે. જેમ તમારા જીવનમાં થોડો સંતોષ છે તો થોડી શાંતિ છે અને જેટલો અસંતોષ છે તેટલું દુઃખ છે. જયારે મોક્ષમાં પૂર્ણ સંતોષ છે, માટે પૂર્ણ શાંતિ અને સુખ છે. સિદ્ધના જેટલા ગુણો સમજો એટલો ખ્યાલ આવે કે ત્યાં કેટલો આનંદ છે. માટે ત્યાં અનંત આનંદ છે. ગુણ=આનંદ અને દોષ દુઃખઃ ધારો કે પહેલાં તમારો ઉગ્ર સ્વભાવ હતો, તેના કરતાં અત્યારે ઉગ્રતાનો આવેગ ઓછો થયો, માટે આત્મામાં થોડી ક્ષમા આવી. હવે તેના કારણે તમને કેટલી શાંતિનો અનુભવ થાય છે! જ્યારે થોડી પણ ક્ષમા નહોતી ત્યારે આત્માને કેટલો ત્રાસ હતો? તેના પરથી ગણતરી માંડો કે આટલી ક્ષમાથી આટલો આનંદ અને સુખ છે, તો પછી પૂર્ણ ક્ષમાનો આનંદ અને સુખ કેટલાં? “ગુણઈઝ ઇક્વલટુઆનંદ” “દોષ ઇઝ ઇક્વલટુ દુઃખ” આ સમીકરણ જો મનમાં બેસી જાય તો મૂળિયાં પર પ્રહાર થઈ ગયો સમજો. ૧૬૦ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy