________________
હવે આગળ શું વાત હતી? હા, પ્રભુ ધ્યાન કરે છે તેમાં લગભગ નિર્લેપતાથી સૂક્ષ્મ ચિંતન હોય. જેમ પરમાત્મા ધ્યાનમાં, પરમાણુ એક છે, એક હોવા છતાં તેમાં અનેકતા કઈ રીતે? આ બધું સ્યાદ્વાદ દષ્ટિથી અનેક ભાગાપૂર્વક ચિંતન કરી શકે છે. ઘણા વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં બાર-બાર કલાક ચિંતન-મનનમાં પડ્યા રહેતા હોય છે, જે તમને તો ગાંડા જેવા જ લાગે. તમે શું તે જ વસ્તુ પર વિચારી શકશો ખરા?
સભા:- પણ સાહેબજી! ભગવાનનું ધ્યાન ઊંડા ઊંડા ક્ષયોપશમવાળું હોય, તે બધું શાસ્ત્રમાં આપેલું હોય?
સાહેબજી:- તેમણે કરેલું ધ્યાન તે શાસ્ત્રવિરુદ્ધ ન હોય, સત્યને અનુરૂપ ચિંતન હોય. દ્રવ્યાનુયોગ એવો વિષય છે કે તેના માટે કહો તો અમે એક એક લીટી પર છ-છ મહિના ઉપદેશ આપી શકીએ. જૈનેતરમાં જેણે દર્શનનો અભ્યાસ કર્યો હોય તે પણ બોલી શકે. હું જે પંડિત પાસે ભણેલો તેઓ તે વખતે ૭૭ વર્ષના હતા, હું ત્યારે ૧૬ વર્ષનો હતો. ત્યારે તેઓ દર્શનશાસ્ત્રની એક લીટી પર છ મહિના બોલી શકતા. અભ્યાસ હોય અને ચિંતન ચાલુ કરો તો બોધ મળવાનો જ છે. શાસ્ત્રમાં પણ આપેલું છે કે કેટલા લાંબા વખત સુધી ગુરુશિષ્યોના વાદ ચાલ્યા. ધર્માચાર્યોના પણ વાદ ચાલ્યા. રાજસભામાં સામ-સામે વિરુદ્ધ પેનલો બેઠી હોય, તેમાં પણ એક જ વિષયની ચર્ચારૂપે છ-છ મહિનાના વાદ ચાલ્યા છે. આ વાત ઊંડાણથી દર્શનશાસ્ત્ર ભણેલા જ સમજી શકે. ભગવાને જે ચિંતન કર્યું તે બધું શાસ્ત્રમાં છે. તમે દ્રવ્યાનુયોગ ભણો તો ખબર પડે.
સભા:- અસ્તિત્વનો અને નાસ્તિત્વનો વિચાર કઈ રીતે કરે?
સાહેબજી:- જેમ કે એક ઘડિયાળ માટે અસ્તિત્વનો અને નાસ્તિત્વનો વિચાર કરે તો તેમાં તેમને કલાકોના કલાકો નીકળી જાય. ઘડિયાળનું કયા સ્વરૂપે અસ્તિત્વ છે, ક્યા સ્વરૂપે નાસ્તિત્વ છે, તેના કયા ગુણધર્મ અસ્તિત્વના છે, કયા ગુણધર્મ નાસ્તિત્વના છે, બધું વિસ્તારથી વિચારે.
અત્યારે તમારે લોકોને જ્ઞાનમાં ઊંડા ઊતરવું જ ગમતું નથી. બુદ્ધ રહેવું જ ગમે છે. બસ, વિકારોમાં જ સબડતા રહેવું હોય છે. પુણ્યથી જે કાંઈ થોડા ભોગ મળ્યા છે, તેમાં જ રચ્યાપચ્યા રહેવું છે. પણ આ બધો આભાસિક આનંદ છે. કદી પણ જ્ઞાનનો સાચો આનંદ માણ્યો છે ખરો? જ્યારે આત્માનો શ્રેષ્ઠ સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાનના કારણે જ જડ અને ચેતન જુદા પડે છે. મોક્ષમાં નિર્મળ આનંદ જ્ઞાનનો જ છે.
મનોવિજય અને આત્મશુદ્ધિ
૧પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org