SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કરનાર દુષ્ટ દેવતા છે. દ્વેષથી મરણાન્ત ઉપસર્ગ કરે છે. એક રાતમાં કમઠે પણ કેવા ઉપસર્ગ કર્યા છે ? કષ્ટ આપવામાં કાંઇ બાકી રાખ્યું નથી. હાથી વિષુર્વ્યા છે, દાંતો માર્યા છે, છતાં પાર્શ્વપ્રભુની શું દશા છે ? તે વખતે ધરણેન્દ્ર આવીને ઉપસર્ગનિવારણ સાથે અદ્ભુત ભક્તિ કરે છે. એક જીવે ઉપસર્ગ કરીને પાપકર્મ બાંધ્યાં, જ્યારે બીજાએ ભક્તિ કરીને ધર્મ કર્યો છે. છતાં પ્રભુનું બન્ને પ્રત્યે મન કેવું છે ? એકે ઘોર ઉપસર્ગ દ્વારા ઘોર પાપો બાંધ્યાં અને એકે ભક્તિ દ્વારા મહાન ધર્મ કર્યો, છતાં પ્રભુને ક્યાંય કમઠ પ્રત્યે અરુચિ-દ્વેષનો ભાવ થયો નથી અને કરુણા પણ નથી આવી; અને ધરણેન્દ્રની આરાધના-ભક્તિ જોઇને એવો ભાવ પણ નથી થયો, કે કેવી ઉત્તમ ભક્તિ કરી ! આરાધના કરી ! સમકિત નિર્મળ કર્યું ! આ ધર્મપ્રવૃત્તિ જોઇને પ્રભુ રાજી પણ થયા નથી. ગુણિયલ પ્રત્યે પ્રમોદનો કે પાપી પ્રત્યે કરુણાનો કોઇ ભાવ નથી આવ્યો. સભા :- તો કયો ભાવ આવ્યો ? સાહેબજી ઃ-સમાન ભાવ આવ્યો છે. બન્નેના કર્મમાં કે પ્રવૃત્તિમાં પ્રભુનો સમાન ભાવ છે. સભા :- અહીંયાં કયો અદ્વેષ આવ્યો ? સાહેબજી :- તમામ અદ્વેષ આવી ગયા. તેની સામે મહાવીર પરમાત્માનું દૃષ્ટાંતવિચારીએ. પ્રભુ મહાવીર દીક્ષા લઇને વિચરે છે. તે વખતે સંગમ ઉપસર્ગ કરે છે. છ-છ મહિના સુધી ભયંકર પીડા-સંતાપ આપે છે. નિર્દોષ આહાર-પાણી પણ નથી મેળવવા દીધાં. કેટકેટલા ઉપસર્ગ કર્યા, છતાં પ્રભુ ડગ્યા નથી. ઇન્દ્રમહારાજેપ્રભુના જેસત્ત્વનું વર્ણન કર્યું હતું તેના કરતાં તેમનામાં સવાયું છે. ભયંકર કદર્શના કરી છે, ચલિત થવાય એવું એવું ઘણું કર્યું છે, છતાં તેઓ ડગ્યા નથી. આ જોઇને સંગમ છેલ્લે હારીને ક્ષમા માંગવા આવ્યો છે. પ્રભુને ખ્યાલ છે કે તેનું હૃદય પરિવર્તન થયું નથી. હૃદયપૂર્વક તેણે ક્ષમા માગી નથી. હવે તે જ્યારે દેવલોકમાં પાછો જાય છે, ત્યારે પ્રભુને થાય છે કે “ધોર સંસારમાંથી અનેક જીવોને અમે તારનારા કહેવાઇએ, જ્યારે આ જીવ મારું જ આલંબન લઇને ઘોર સંસારમાં ડૂબશે.’’ આ કર્મના ફળ તરીકે તેને ઘોર સંસારમાં રખડવું પડશે, માટે તેના આ કાર્યથી તેમને કરુણા આવી. જેથી તેમની બે પાંપણ જરા ભીની થઇ છે. “અરર ! આ બિચારા જીવનું શું થશે ?’ આ શ્રેષ્ઠ કોટિની ભાવદયાની કરુણા આવી છે. હવે અહીંયાં સમતા ન ટકે. શુભભાવરૂપ વિકલ્પ પેદા થયો તેથી સવિકલ્પદશા છે. જો કે તેમને કાયમ આવું થયું નથી. ઘણા જ ઉપસર્ગો વખતે તેઓ સમતામાં જ રહ્યા છે. ક્યારેક આ રીતે નીચે આવ્યા છે. મનોવિજય અને આત્મશુદ્ધિ **** ૧૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy