________________
પર ચિંતન કર્યું તેમાં કેટલાંય કર્મ ખપી ગયાં. અત્યારે ઘણાને ભ્રમ છે કે આત્માનું જ ધ્યાન કરીએ તો કર્મ ખપે, નહીંતર ન ખપે. અત્યારે તમે પ્રતિમા-પરમાત્માનું ધ્યાન કેમ કરો છો? કારણ આપણું મન અશુભ ભાવોથી છવાયેલું છે. તેના નિવારણ માટે જ શુભ આલંબન લઇએ છીએ. અશુભ ભાવો ગયા પછી ગમે તેનું ચિંતન કરો, તે કર્મનિર્જરાનું જ સાધન બને છે. ભગવાને કદી દેરાસર જઇને પ્રતિમાનું ધ્યાન કર્યું નથી અને ક્યાંય શાસ્ત્રમાં આવું વર્ણન પણ આવતું નથી. કારણ કે તેમને શુભ આલંબનની જરૂર જ નથી, જ્યારે આપણને છે. કારણ આપણે અશુભના આવેગથી ઘેરાયેલા છીએ. ક્ષપકશ્રેણિમાં પણ આત્માનું ધ્યાન કરે તો જ કેવળજ્ઞાન થાય, તેવું નથી. ઊલટાનું તે વખતે અનેક વિષયનું ધ્યાન હોઈ શકે. શ્રી જિનભદ્રગણિજી ક્ષમાશ્રમણે “ધ્યાનશતક” ગ્રંથમાં લખ્યું કે શુક્લધ્યાનમાં અરૂપીનું ધ્યાન કરવું હોય તેણે રૂપી પર પહેલાં એકાગ્ર થવું પડે. તેનો ક્રમ શું? પહેલાં શુભ આલંબન લે ને અશુભ આલંબન મૂકે; સ્થૂલ આલંબન પર ધ્યાન કરે, તેમાં સ્થિર થાય; પછી સૂક્ષ્મ આલંબન પર ધ્યાન કરે, તેમાં સ્થિર થાય; પછી અરૂપીનું ધ્યાન કરે.
સભા:- સિદ્ધ ભગવંતને ધ્યાન છે?
સાહેબજી -ધ્યાન કોને કરવું પડે? સાધકને, જે અધૂરાપણાની નિશાની છે. જે સાધક છે તેને કાંઇક મેળવવાનું બાકી છે, માટે ધ્યાન કરે છે. જયારે સિદ્ધ ભગવંતને કાંઈ મેળવવાનું બાકી નથી. તેઓ પૂર્ણ છે. તેથી તેમને બાનાવસ્થા કે ધ્યાનમુદ્રા હોતી નથી.
સભા:- ભગવાન છદ્દે-સાતમે ગુણસ્થાનકે ધ્યાન કરે છે, કઇ રીતે?
સાહેબજી - સવિકલ્પદશા આવવાથી જીવ નીચે ઊતરે અને નિર્વિકલ્પદશામાં જાય તે ઊંચી ભૂમિકામાં છે. એટલે છડે સવિકલ્પદશાનું ધ્યાન છે જયારે સાતમે નિર્વિકલ્પદશાનું ધ્યાન છે. પાર્શ્વપ્રભુની સ્તુતિ આવે છે ને કે,
"कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति। प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः।" તેમાં ભગવાનની નિર્વિકલ્પ દશાનું સૂચન છે. અને તે ગાથા પછી "कृतापराधेऽपि जने, कृपामंथरतारयोः। इषद्बाष्पार्द्रयोर्भद्र, श्रीवीरजिननेत्रयोः"
આ ગાથા મહાવીરસ્વામી ભગવાનની સવિકલ્પદશા સૂચવે છે. મહાવીર પરમાત્માની આ જે દશા છે તે વિકલ્પયુક્ત ધ્યાનદશા છે, જે નીચલી ભૂમિકા છે. સાધનાકાળમાં પ્રભુ પાર્શ્વનાથને અને પ્રભુ મહાવીરને બન્નેને મરણાન્ત ઉપસર્ગ આવ્યા છે. પાર્શ્વપ્રભુને એક રાતના સમયનો ઉપસર્ગ છે, જયારે પ્રભુ મહાવીરને છ મહિનાના સમયનો ઉપસર્ગ છે. બન્નેને ઉપસર્ગ મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org